હેલ્થવર્કર્સ " NO PAY NO WORK " ના બેનર દેખાડીને અને નારા લગાવીને વિરોધ કરી રહ્યા હતા. જો કે પોલીસ તેમને લેફટીનેન્ટ ગવર્નર એન આવાસ સુધી માર્ચ કરતાં રોકી દીધા હતા.
દિલ્હીમાં નગર નિગમની હોસ્પિટલના ડોકટરોને નથી મળ્યો પગાર
ચાર મહિનાથી નથી થયો ડોકટરો અને હેલ્થવર્કર્સનો પગાર
દિલ્હીના ભાજપના મેયર કહે છે, "અમારી પાસે પૈસા નથી"
દિલ્હીમાં માત્ર કોવિડ 19 પેશન્ટ્સ એટલે કે કોરોના દર્દીઓ માટેના જ બનવાયેલા દવાખાના હિન્દુ રાવ હોસ્પિટલમાં ડોકટરો અને ફ્રન્ટલાઇન હેલ્થવર્કર્સ લોકોએ 4 મહિનાથી પગાર નહીં મળતા 48 કલાળોમાં પોતાની સેવાઓ બંધ કરવાની ધમકી આપી હતી.
આ હોસ્પિટલ NDMC દ્વારા સંચાલિત છે
આ હોસ્પિટલ ઉત્તરી દિલ્હી નગર નિગમ NDMC દ્વારા સંચાલિત છે, અને આ ચેતવણી એક મહિના લાંબા પ્રતીકાત્મક વિરોધ બાદ આપવામાં આવી છે, જેનાથી દર્દીઓને તકલીફ પડે નહીં અને ડોકટરોની સેવા તેમણે મળતી રહે પરંતુ આ કસરત પણ ઉત્તર દિલ્હી નગર નિગમ ના અધિકારીઓનું ધ્યાન ખેંચવામાં સમર્થ સાબિત થઈ નહોતી.
હેલ્થકેર વર્કર્સ 9 ઓક્ટોબરના રોજ " NO PAY NO WORK " ના નારા લગાવતા હોસ્પિટલની બહાર ધરણાં પર બેઠા હતા, જો કે પોલીસ તેમને દિલ્હી ઉપરાજ્યપાલ અનિલ બૈજલ ના આવાસ સુધી માર્ચ કરતાં રોક્યા હતા, જેના બાદમાં પાંચ સભ્યોની એક સમિતિ ને આવેદન આપવાની મંજૂરી અપાઈ હતી.
ડોક્ટરોએ ઠાલવી વ્યથા, "અમે EMI પણ ભરી શકતા નથી"
છેલ્લા ઘણા મહિનાઓથી અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ, આવી રીતે જીવવું હવે બહુ મુશ્કેલ થઈ રહ્યું હતું, અમે અમારા માસિક હપ્તા EMI પણ ભરી શકતા નથી. હોસ્પિટલ ના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન ના અધ્યક્ષ ડો. અભિમન્યુ સરદાના એ કહ્યું હતું કે "જો અમારી સમસ્યાઓનો સમાધાન નહીં થાય તો અમે લોકો અમારી સર્વિસ બંધ કરી નાખશું, કોરોના વોરિયર્સ કે જે પોતાના જીવ ને જોખમમાં મૂકી ને પણ લોકોની સેવા કરતાં હોય છે લોકોને કોરોના થી બચાવતા હોય છે.
તેમણે કહ્યું કે તે અધિકારીઓ ને તેમની માંગણીઓ ને સંભળાવવા માટે નિયમિત રૂપે વિરોધ કરતાં રહેવા માટે મજબૂર છે. " એક નર્સે પણ કહ્યું હતું કે અમારે અમારી દરેક નાની માંગણીઓ માટે વિરોધ શું કામ કરવો પડે, પગાર તો અમારો અધિકાર છે ને!"
ભાજપ શાસિત પાલિકાના મેયરે AAP સરકાર પર ધોળ્યો દોષનો ટોપલો
જો કે ભાજપ શાસિત NDMC ના મેયર જયપ્રકાશે આ મામલે દોષનો ટોપલો AAP સરકાર પર ધોળ્યો હતો અને કહ્યું હતું કે," અમે તેમને પગાર આપી શકવા માટે સક્ષમ નથી, કેમ કે અમારી પાસે કોઈ પૈસા નથી, દિલ્હી સરકારે આ પહેલા અમારા બાકી નીકળતા પૈસાની ચૂકવણી કરવી પડશે, દોષ રાજ્ય સરકારનો છે. હું અહી ડોકટરોએ સાંભળવા આવ્યો છું અને તેમના માટે ચિંતિત છું." જો કે દિલ્હી સરકારે કહ્યું હતું કે ભાજપના શાસન હેઠળની MCD મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી ની અક્ષમતા ના લીધે આ ગૂંચવાડો ઊભો થયો છે"