અમદાવાદના તબીબોએ મધ્યપ્રદેશના માજીની સફળ એન્જીઓપ્લાસ્ટી કરતા વૃદ્ધાએ મોતને મ્હાત આપી છે.
મૃત્યુને હંફાવતા 107 વર્ષના દાદી
માજીને મધ્યપ્રદેશથી અમદાવાદ લવાયા હતા
પરિવારની ઈચ્છાના કારણે કરાયું ઓપરેશન
જન્મ અને મરણ આપણા હાથમાં નથી હોતું તેવી જૂની કહેવત છે પરંતુ આજના સમયમાં ભગવાન ગણાતા ડોક્ટરોએ એવું કરી બતાવ્યું છે. જેની વિશ્વમાં કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. વિશ્વમાં પ્રથમ વખત સદી વટાવી ચૂકેલા એક વૃદ્ધાની એન્જીઓપ્લાસ્ટી કરાઈ છે અને તેમાં અમદાવાદના ડોક્ટરોને સફળતા પણ મળી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
હૃદયમાં 99 ટકા હતું બ્લોકેજ
107 વર્ષના વૃદ્ધાના હૃદયના ધબકારા આજે મેડિકલ જગત માટે મોટી ચમત્કાર છે કારણ કે, 107 વર્ષની ઉમરે બાદામબાઈ વ્યાસ નામના વૃદ્ધાની એન્જીયોપ્લાસ્ટી કરાઇ છે અને અમદાવાદની ખાનગી હોસ્પિટલના ડૉક્ટરને તેમાં સફળતા હાંસિલ કરી છે. મધ્યપ્રદેશના વતની એવા 107 વર્ષીય વૃદ્ધને હૃદયનો હુમલો આવતા મંદસૌરથી અમદાવાદની લાવવામાં આવ્યા હતા. અહીં વૃદ્ધાની એન્જીઓપ્લાસ્ટી કરતા હૃદયની ધમનીઓમાં 99 ટકા બ્લોકેજ હોવાનું સામે આવ્યું હતું. આટલા મોટા પ્રમાણમાં દર્દીના બ્લોકેજ જોઈને હોસ્પિટલે તેઓના સગાઓને જાણકારી આપી કે આવા કિસ્સમાં દર્દીનું બચવુ મુશ્કેલ હોય છે, પરંતુ દર્દીના પૌત્રનો પોતાની દાદી પરનો અને ડોક્કકટરો પરનો અડગ વિશ્વાસ હતો કે, દાદી સારા થશે અને ડૉક્ટરને સર્જરીની પરવાનગી આપતા સર્જરી કરવામાં આવી હતી. જેમાં ડોકટરોને સફળતા મળતા વૃદ્ધા સંપૂર્ણ પણે હાલ સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે.
107 વર્ષે સફળ એન્જીયોપ્લાસ્ટી વિશ્વમાં પ્રથમ વખત
મહત્વનું છે કે આટલી મોટી ઉંમરના દર્દીમાં અનેક બીમારીઓ હોય છે જેથી આ પ્રકારની સર્જરી અઘરી હોય છે. પરંતુ આ કેસમાં દર્દીને નવું જીવનદાન મળ્યું છે. ત્યારે ડૉક્ટરએ દર્દીના બચવાની સંભાવનાઓ છોડી દીધી હતી. આ ઘટનાને ચમત્કાર કહો કે, બીજું કાંઈ પરંતુ 107 વર્ષના બાદામબાઈ એન્જીયોપ્લાસ્ટી બાદ સ્વસ્થ છે અને કદાચ આટલી ઉમરે વિશ્વમાં આ પ્રથમ એન્જીયોપ્લાસ્ટી હશે. જોકે જીવન અને મરણ કુદરતના હાથનો ખેલ છે પરંતુ અહીં વૃદ્ધાનો જીવ બચવો કોઈ ચમત્કારથી કમ પણ નથી.