બાબા રામદેવ આજકાલ પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહે છે. આયુર્વેદ VS એલોપેથીના કારણે આ વિવાદ સર્જાયો છે.
બાબા રામદેવનું વિવાદાસ્પદ નિવેદન
અમે શું ભંડારો ખાવા આવ્યા છીએ
માત્ર 10 ટકા પેશન્ટની સારવાર ડૉક્ટર્સે કરી
IMA તરફથી નોટિસ મળ્યા બાદ યોગગુરુ સ્વામી રામદેવે આક્રમકરૂપ ધારણ કર્યુ છે. બાબાએ નિવેદન આપી દીધુ કે ડૉક્ટર્સના કારણે નહી પરંતુ નેચરોપેથી અને યોગના કારણે લાખો લોકોનો જીવ બચી ગયો છે.
રામદેવે દાવો કર્યો છે તે જે લોકોનું ઓક્સિજન લેવલ 70 થી પણ ઓછુ થઇ ગયુ હતુ તે લોકો યોગથી સાજા થયા છે. તેમણે સાફ કહી દીધુ કે આ દાવો ખોટો છે કે કોરોનાના દરેક દર્દીનો ઇલાજ ડૉકટર્સ કરી રહ્યાં હતા.
રામદેવનું વિવાદિત નિવેદન
એક ઇન્ટરવ્યૂમાં બાબાએ કહ્યું કે, 'જો આ બધા ડૉક્ટર્સે જ બાધાના ઇલાજ કર્યા તો શું અમે ભંડારો ખાવા આવ્યા છીએ?' ડૉક્ટર ગુલેરિયાએ પણ કહ્યું કે 90 ટકા લોકોને હોસ્પિટલ નથી જવું પડ્યુ અને તે લોકો આયુર્વેદથી ઠીક થયા છે.
કોરોનિલને હોમકીટમાં જગ્યા નહી
કોરોનિલને સરકારની હોમકિટમાં કેમ સામેલ કરવામાં નથી આવી તેના જવાબમાં બાબાએ કહ્યું કે, આ અમારો નહી પરંતુ નીતિઓનો દોશ છે. અમે તો કહી રહ્યાં છીએ કે કોરોનાના 100માંથી 90 પેશન્ટ યોગ, આયુર્વેદ અને પ્રાણાયમથી સાજા થયા છે. માત્ર એ કહેવું પણ યોગ્ય નથી કે ડૉક્ટર્સ જ બધાનો ઇલાજ કરી રહ્યાં હતા. હું માનુ છુ કે તેમણે જીવ આપીને પણ લોકોનો ઇલાજ કર્યો છે પરંતુ હોસ્પિટલ જનારા 10 ટકા લોકોનો જ તેમણે ઇલાજ કર્યો છે.
બાબાએ આપ્યુ નિવેદન
આ પ્રકારના માહોલ વચ્ચે રામદેવનો એક વીડિયો વાયરલ થયો છે અને તેમાં તે કહી રહ્યાં છે કે એરેસ્ટ તો તેમનો બાપ પણ ના કરી શકે.
આ વીડિયોમાં રામદેવ તેવું કહી રહ્યાં છે કે, લોકો ક્યારેક રામદેવની ધરપકડ માટે ટ્રેન્ડ ચલાવે છે તો ક્યારેક રામદેવ ઠગ છે તેવું કહે છે પરંતુ અમે આ બધા ટ્રેન્ડથી ઉપર છીએ.
આ વીડિયો ક્યારનો છે તેને લઇને કોઇ વાત સામે આવી નથી પરંતુ આ વીડિયોને ટ્વિટ કરીને યુઝર્સ રામદેવ પર નિશાન સાધી રહ્યાં છે. કેટલાક યુઝર્સ કહી રહ્યાં છે કે હવે સ્વામી રામદેવ કાયદાથી પણ ઉપર થઇ ગયો છે.
કોરોનિલ પર સવાલ ઉઠાવ્યાં
ડોક્ટર લેલેએ જણાવ્યું કે ડોક્ટર એટલા બધા વ્યસ્ત છે. 747 ડોક્ટરોના ગયા વર્ષે મોત થયા છે. તેમણે વેક્સિન લીધી જ નહોતી. બીજી લહેરમાં 500 ડોક્ટરોના મોત થયા છે. રામદેવ જે દાવો કરી રહ્યાં છે તે ખોટો છે. તેમણે રામદેવના દાવા પર કહ્યું કે પતંજલિની કોરોનિલ ખાઈને લોકો સાજા થઈ ગયા છે તે વાત બાબા રામદેવ શા માટે ઈન્ટરનેશનલ જર્નલમાં છપાવીને જાહેર કરાવી રહ્યાં નથી.