માનસિક રૂપથી બીમાર કોઇ પણ વ્યક્તિ આ પ્રકારની ચીજવસ્તુઓને સરળતાથી પોતાની અંદર ગળી જાય છે. તેને એ વાતનો અહેસાસ જ નથી હોતો કે તે શું ખાઇ રહ્યો છે. સામાન્ય માનવી આ પ્રકારની ચીજવસ્તુઓને ગળી નથી શકતો. દર્દીની ઇનર સિસ્ટમ ચોક હોવા પર જ્યારે આ ચીજવસ્તુઓ પ્રોમ્બ્લેમ કરે છે ત્યારે આનો ખ્યાલ આવે છે.
મંડીઃ હિમાચલનાં મંડીમાં ડૉક્ટરે સર્જરી કરીને 35 વર્ષનાં યુવકનાં પેટમાંથી 9 ચમચી, 2 ટૂથબ્રશ અને 2 સ્ક્રૂ ડ્રાઇવર અને એક ચાકુ નિકાળ્યું. આ ઓપરેશન એસએલબીએસ મેડિકલ કોલેજનાં ડૉક્ટરોની એક ટીમે કર્યુ. ઓપરેશન ડોઢ કલાક સુધી ચાલ્યું. હોસ્પિટલે જણાવ્યું કે, દર્દી હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.
ડૉ. રણેશ ચૌહાણે જણાવ્યું કે, "જ્યારે દર્દીને લાવવામાં આવ્યા ત્યારે તેનાં પેટમાંથી અડધુ ચાકુ બહાર નીકળેલુ હતું. દર્દીની હાલત ખૂબ જ ખરાબ હતી. અમે સર્જરી કરવાનો નિર્ણય કર્યો. દર્દી માનસિક રોગી છે." દર્દી સુંદરનગરનાં વનાયકનો રહેવાસી છે.
મેડિકલ ભાષામાં આને કહેવાય છે બેજોઆર બીમારીઃ ડૉ. ચૌહાણે જણાવ્યું કે માનસિક રૂપથી બીમાર કોઇ પણ વ્યક્તિ આ પ્રકારની ચીજવસ્તુઓને સરળતાથી પોતાની અંદર ગળી જાય છે. તેને એ વાતનો અહેસાસ જ નથી હોતો કે તે શું ખાઇ રહ્યો છે. સામાન્ય માનવી આ પ્રકારની ચીજવસ્તુઓને ગળી નથી શકતો. દર્દીની ઇનર સિસ્ટમ ચોક હોવા પર જ્યારે આ ચીજવસ્તુઓ પ્રોમ્બ્લેમ કરે છે ત્યારે આનો ખ્યાલ આવે છે. આ પ્રકારનાં દર્દીને મેડિકલ ભાષામાં બેજોઆર બીમારીનાં નામથી ઓળખાય છે.