એનએમસી (નેશનલ મેડિકલ કમિશન બિલ) વિરુદ્ધ ડોક્ટરોનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. ડોક્ટરોની હડતાળને પગલે સ્વાસ્થ્ય સેવાઓ પૂર્ણ રીતે ઠપ છે. તથા દર્દીઓનો ઇલાજ કરવામાં આવી રહ્યો નથી.
આ સંબંધ ચંદીગઢની પીજીઆઇના આઇસીયૂમાં ભરતી કિડની ટ્રાન્સપ્લાન્ટના એક દર્દીની શનિવારે સવારે મોત થઇ ગઇ. ત્યારબાદ તો જાણે હોસ્પિટલમાં દર્દીઓના મોતનો સિલસિલો શરૂ થઇ ગયો. શનિવારે રાત્રી સુધીમાં મરનાર દર્દીઓની સંખ્યા વધીને 34 થઇ ગઇ. મરનાર લોકોમાં 4 એક્સિડેન્ટ કેસ હતા અને બાકી 29 કેસ બીમારીઓથી ગ્રસ્ત દર્દીઓ હતા. જાણકારી મુજબ સામાન્ય પરિસ્થિઓમાં આ આંકડો 10થી 12 વચ્ચે રહે છે.
આંદોલન વધુ તેજ કરવાની ધમકી
જ્યારે ડોક્ટરો દ્વારા એનએમસી બિલના વિરોધમાં પોતાનું આંદોલન વધુ તેજ કરવાની ધમકી આપી છે. પીજીઆઇના પેરામેડિકલ સ્ટાફે બતાવ્યું કે ટ્રોમા, ઇમરજન્સીના દર્દીઓનો ઇલાજ સીનિયર રેજિડેન્ટ ડોક્ટરોની દેખરેખમાં થાય છે. પરંતુ હાલ હડતાળના પગલે કોઇ રેજિડેન્ટ ડોક્ટરો દર્દીઓનો ઇલાજ કરી રહ્યા નથી. જેના કારણે દર્દીઓના મોતની સંખ્યા વધતી જઇ રહી છે.
દર્દીઓનું રજીસ્ટ્રેશન નહીં
ડોક્ટરોના વિરોધ પ્રદર્શનને પગલે શનિવારે ઓપીડીની સેવાઓ બંધ રહી. કોઇપણ નવા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું નહોતું. પ્રાપ્ત જાણકારી અનુસાર પીજીઆઇમાં રોજના 8થી 10 હજાર દર્દીઓનો ઇલાજ કરવામાં આવે છે. ચંદીગઢ ઉપરાંત દેશભરથી લોકો અહીં ઇલાજ કરવા માટે આવે છે.
આ આખા મામલા પર ચંદીગઢ પીજીઆઇના ડિરેક્ટરે કહ્યું કે પીજીઆઇ માત્ર ચંદીગઢનું જ નહીં પરંતુ હરિયાણા અને પંજાબનું મુખ્ય રેફલ સેન્ટર છે. અહીં ખુબ જ ગંભીર દર્દીઓને રેફર કરવામાં આવે છે. એવી સ્થિતિમાં અહીં દર્દીઓના મોતના મામલામાં હડતાળ અને સામાન્ય દિવસની સ્થિતિની તુલના કરવી યોગ્ય નહીં રહે.