શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ અદ્વૈત બિલ્ડિંગ આજે એક મહિલા ડોકટરે ચોથા માળેથી છલાંગ લગાવીને મોતને વહાલું કરતા ચકચાર મચી ગઇ છે. મહિલાએ અગમ્ય કારણોસર આપઘાત કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના જાણીતા ડૉક્ટર મીતા માંકડે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. વસ્ત્રાપુર વિસ્તારમાં મહિલા ડૉક્ટરે માતની છલાંગ લગાવી હતી. મળતી માહિતી મુજબ ડૉક્ટર મીતા માંકડે ચોથા માળેથી છલાંગ લગાવતા તેમનું મોત થયુ હતુ. જેની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.
બોડકદેવ વિસ્તારમાં આવેલ સુમેર બંગલોમાં રહેતા અને જાણીતા ગાયનેક કેન્સરના નિષ્ણાત ડો. મીતાબેન માંકડએ આજે અદ્વૈત બિલ્ડિંગથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી છે. મિતાબેન આજે પોતાની કાર લઈને અદ્વૈત બિલ્ડિંગ આવ્યા હતા અને ત્યારબાદ કોઈપણ કારણોસર આત્મહત્યા કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મીતાબેન બિલ્ડિંગમાં કોઈ કામથી નહીં પરંતુ આત્મહત્યા કરવા માટે આવ્યા હતા. પોલીસે મિતાબેનની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આત્મહત્યાનું કારણ શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
મહત્વનું છે કે, ડૉક્ટર મીતા માંકડ ગાયનેક કેન્સર સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપતા હતા. જ્યારે ડૉ. મીતા માંકડના પતિ ડૉક્ટર હેમંત માંકડ એમડી ફીઝીશયન તરીકે સેવા આપે છે.