સબ ટીવીનો સુપરહિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે અને તેના દરેક પાત્રોનો એક અલગ ફેનબેઝ છે. આ શોમાં લીડ રોલમાં જેઠા અને દયા છે તેમ છતાં દરેક પાત્રની એક આગવી ઓળખ છે. શોના ડૉક્ટર હાથી એટલે કે નિર્મલ સોનીએ હાલમાં જ પોતાના ખોરાક વિશે વાત કરી હતી.
હું મેકર્સનો આભારી છુ
નિર્મલ સોનીએ કહ્યું કે, હું પોતાની જાતને ખુશનસીબ માનુ છું કે મને જીંદગીમાં તારક મહેતા..માં કામ કરવાની તક મળી છે. હું છેલ્લા 20 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરુ છું પરંતુ મને ઓળખાણ આ શો થકી જ મળી છે. ડૉક્ટર હાથીના પાત્રથી લોકો હવે મને ઓળખે છે અને ખુબ પ્રેમ આપે છે.
રિયલ લાઇફમાં કેટલું ખાય છે હાથી
નિર્મલ સોનીએ જણાવ્યું હતું કે જેવી રીતે સિરીયલમાં બતાવવામાં આવ્યું છે કે ડૉક્ટર હાથી ખુબ જ ખાય છે તેવો હું રિયલ લાઇફમાં નથી. મને નવી નવી વસ્તુઓ ખાવી પસંદ છે પરંતુ લિમીટમાં, એવું નથી કે હું પ્લેટ ભરીને ખા ખા જ કરું છું.
ડૉ.હાથીનો સંદેશ
નિર્મલ કહે છે કે આપણે જોઇએ છીએ કે રિયલ લાઇફમાં લોકો મેદસ્વિતાથી પરેશાન હોય છે અને તેના કારણે જ પોતાને બીજા કરતા અલગ સમજે છે. હું તે લોકોને સંદેશ આપવા માંગીશ કે તમે જેવા છો તેવા જ રહો કારણકે જો તમે તમારી જાતને પ્રેમ કરશો તો જ બીજા તમને પ્રેમ કરશે.
હું એક સારો ડાન્સર છું, એક્ટર છુ અને મારી લાઇફમાં ખુબ જ ખુશ છું. હું ખરેખર નથી ઇચ્છતો કે મારી ઋતિક રોશન જેવી બોડી બની જાય.
પરત ફર્યા નટુ કાકા
સિરીયલમાં નટુ કાકાનું પાત્ર ભજવનાર ઘનશ્યામ નાયકે હવે શોમાં વાપસી કરી રહ્યાં છે અને ઘનશ્યામ નાયક સંપર્ણ રીતે સ્વસ્થ છે.