મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં 14 વર્ષની એક કિશોરીનું કરંટ લાગવાથી મોત થયુ હતું. જેના બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાડરવારાના સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ ડોકટરે હોસ્પિટલના મેદાનમાં ઘરવાળાઓની સામે જ તેનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. આ બાબતે બબાલ થઈ તો ડોકટરે કહ્યું કે એસડીએમને સૂચના આપીને તેમણે પીએમ કર્યું હતું. અને પોસ્ટમોર્ટમ હાઉસમાં ગાયનું શવ રાખ્યું હતુ તેથી મેં બહાર જ કિશોરીનું પોસ્ટમોર્ટમ કર્યું.
આ કિસ્સો નરસિંહપુર જિલ્લાના ગાડરવારાનો છે. ગાડરવારાના ગામ મહંગવામાં રહેનારી આરતી દૂબેનું મોત રવિવારે સાંજે કરંટ લાગવાથી થયું હતું. પીએમ કરનારા ડોકટર પંથી કોરીએ કહ્યું કે એસડીએમને સૂચના આપ્યા બાદ જ તેણે પીએમ કર્યું હતું.