મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રાશિનમાં એક પ્રતિષ્ઠિત ડૉક્ટરે સમગ્ર પરિવાર સાથે આત્મહત્યા કરી લીધી.
મહારાષ્ટ્રમાં એક ડૉક્ટર પરિવારે આત્મહત્યા કરી લેતા ચકચાર
અહમદનગર જિલ્લામાં ડૉક્ટરે સમગ્ર પરિવાર સાથે કરી આત્મહત્યા
પોલીસે તપાસ કરતા સુસાઇડ નોટ મળી આવી
એક પ્રતિષ્ઠિત ડૉક્ટરે પોતાની પત્ની અને બે બાળકોની સાથે પોતે પણ મોતને વ્હાલુ કર્યું છે. ડૉક્ટરનું નામ મહેન્દ્ર થોરાત છે. ડૉક્ટરે પહેલા પોતાની પત્ની અને બાળકોને ઇન્જેક્શન આપીને તેમની હત્યા કરી અને બાદમાં પોતાનો પણ જીવ આપ્યો. મોતના કારણો અને પરિસ્થિતિઓને પણ તપાસ માટે પોલીસ ઉંડી તપાસ હાથ ધરી છે.
તેમના પત્નીનું નામ વર્ષા દીકરાનું નામ કૃષ્ણા અને સૌથી નાના દીકરાનું નામ કેલવ્ય હતું. તેમને ગરીબોના ડૉક્ટરના રૂપમાં માનવામાં આવતા હતા. શનિવાર સવારે દર્દી જ્યારે ડૉક્ટરના ઘરે સરવાર માટે પહોંચ્યા તો આત્મહત્યાનો મામલો સામે આવ્યો.
'દીકરાને ઓછું સંભળાતું હતું જેને લઇને સમાજિક અપમાન સહન કરવું પડતું હતું'
ડૉક્ટર થોરાત સામાજિક કાર્યકર્તાના રૂપમાં પણ કામ કરતા હતા, પોલીસને ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ પણ મળી છે. પોલીસના સૂત્રોના અનુસાર ડૉક્ટરના 17 વર્ષના દીકરાને ઓછું સંભળાતું હતું. જેના કારણે સામાજિક અપમાન સહન કરવું પડતું હતું. તેના કારણે ડૉક્ટર હેરાન હતા. જોકે આ કારણે સમગ્ર પરિવારે સુસાઇડ કર્યું હોવાની વાત પોલીસને ગળે નથી ઉતરી રહી. એટલા માટે પોલીસે ઘટનાસ્થળથી એક પુરાવા અને સબૂત એકઠા કરી રહી છે.
પોલીસ તપાસ કરી રહી છે. સુસાઇડ નોટમાં સામે આવ્યું કે, પોતાની પત્નીની મદદથી પોતાની જિંદગી ખતમ કરવાનો નિર્ણય કર્યો, આવી માહિતી પોલીસ ઇન્સ્પેક્ટર ચંદ્રશેખર યાદવે આપી.