નીમ કરોલી બાબા કહેતા હતા કે ધનવાન બનવું એ એક એવું કામ છે જે દરેક માનવી ઈચ્છે છે, પણ શું તમે જાણો છો કે વ્યક્તિ સાચા અર્થમાં ધનવાન ક્યારે કહેવાય છે?
વ્યક્તિ સાચા અર્થમાં ધનવાન ક્યારે કહેવાય છે?
ધનવાન બનવા વિશે નીમ કરોલી બાબાના સિદ્ધાંતો કઇંક અલગ હતા
વ્યક્તિ પાસે ધનની ભરમાર હોય તો તેને ધનવાન માનવો યોગ્ય નથી
ઉત્તરાખંડના નીમ કરોલી બાબાનું (Neem Karoli Baba) નામ 20મી સદીના મહાન સંતોમાંથી એક ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે નીમ કરોલી બાબા પાસે દિવ્ય શક્તિઓ હતી અને એટલા માટે લોકો તેમને બજરંગબલીનો અવતાર પણ માનતા હતા. જણાવી દઈએ કે નીમ કરોલી બાબા કહેતા હતા કે ધનવાન બનવું એ એક એવું કામ છે જે દરેક માનવી ઈચ્છે છે, પણ શું તમે જાણો છો કે વ્યક્તિ સાચા અર્થમાં ધનવાન ક્યારે કહેવાય છે? ધનવાન બનવા વિશે નીમ કરોલી બાબાના સિદ્ધાંતો કઇંક અલગ હતા, ચાલો તેના વિશે જાણીએ..
પૈસાની ઉપયોગીતાઃ-
ધનવાન બનવા પર નીમ કરોલી બાબાના જણાવ્યા અનુસાર, 'જો કોઈ વ્યક્તિ પાસે ધનની ભરમાર હોય તો તેને ધનવાન માનવો યોગ્ય નથી. ધનવાન કહેવાય એ માટે તમારે તે ધનની યોગ્ય ઉપયોગિતા વિશે જાણવું જરૂરી છે. એમના મત મુજબ એવી ધન-દોલતનો કોઈ ઉપયોગ નથી જે જરૂરિયાતમંદોને કામ ન આવે. ટૂંકમાં ધનવાન એ નથી જએની પાસે પૈસા છે ધનવાન એ છે જેઓ પૈસાનો યોગ્ય ઉપયોગ કરે છે. એટલા માટે દરેક માનવીનું એ કર્તવ્ય છે કે પોતાના પૈસાનો ઉપયોગ પહેલા જરૂરિયાતમંદો માટે કરે.
સંપત્તિની વહેંચણી-
ધનવાન બનવા પર નીમ કરોલી બાબા કહે છે કે જો તમે સંપત્તિની વહેંચણી નહીં કરો અને તમારી પૈસાની તિજોરી ખાલી નહીં કરો તો ફરી કેવી રીતે ભરશો? જો તમે પૈસા ડિપોઝિટ તરીકે રાખ્યા છે, તો તે એ આગળ જતાં એક યા બીજા દિવસે સમાપ્ત થઈ જ જશે, કારણ કે ભગવાન હંમેશા આવા ધનવાન લોકોને પસંદ કરે છે, જેઓ ગરીબો અને જરૂરિયાતમંદો પ્રત્યે પ્રેમ રાખીને તેને મદદ કરે.
એટલે કે જો તમારા મનમાં કોઈને મદદ કરવાની ભાવના ન હોય અને જો તમે જીવનમાં માત્ર પૈસા જ કમાયા કરો છો તો સમજી લો કે તમે લાંબા સમય સુધી અમીર નહીં રહી શકો. અને જો તમે તમારા પૈસાની તિજોરી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ માટે થોડી પણ ખાલી કરો છો તો ભગવાનનો મહિમા એ તિજોરીને ફરીથી ભરી દેશે. એ પૈસાનું ભંડોળ ભરવાનું લગભગ અશક્ય છે જેને કેવી રીતે ખાલી કરવું તે જાણતા નથી. એકઠી કરીને સાચવેલ સંપત્તિ કોઈની પાસે કાયમ રહેતી નથી, એ એક કે બીજા દિવસે પૂરી થઈ જાય છે.
વર્તન અને ભગવાનમાં શ્રદ્ધા -
નીમ કરોલી બાબા કહે છે કે વ્યક્તિના ચારિત્ર્ય, વર્તન અને ભગવાનમાં શ્રદ્ધાનો ખજાનો હંમેશા ભરેલો હોવો જોઈએ. જો તમે આ ત્રણ ખજાનાથી ભરેલા છો, તો તમારે ક્યારેય તમારી જાતને ગરીબ ન સમજવી જોઈએ. તમારી પાસે જે પૈસાની મૂડી છે ખરા અર્થમાં આ રત્નો છે. ભૌતિક રીતે દેખાતી વસ્તુઓ રત્ન નથી. માનવ શરીરની જેમ એક દિવસ તેનો પણ નાશ થવાનો છે પણ સમાજમાં તમારા કાર્યો, લાગણીઓ, ભક્તિ અને કલ્યાણને લોકો હંમેશા યાદ રાખશે. આવા ભંડોળ ક્યારેય ખાલી થતા નથી. આવા લોકો જ ખરેખર ધનવાન હોય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.