ભારતમાં શાકાહારી અને માંસાહારી બંને પ્રકારનું ભોજન મોટા સ્વાદની સાથે ખાય છે અને ખવડાવે છે. જેને તૈયાર કરવા માટે ડુંગળીનો ઉપયોગ લગભગ દરેક રસોડામાં કરવામાં આવે છે.
ડુંગળી ઘણી બિમારીઓ માટે અકસીર દવા
ડુંગળીની છાલને વેસ્ટ સમજી ડબ્બામાં નાખી દે છે લોકો
ડુંગળીની છાલનો ઉપયોગ કરી પોટેશિયમયુક્ત ખાતર તૈયાર કરી શકો છો
ડુંગળીની છાલથી બનાવી શકો છો ખાતર
એવામાં લોકો ડુંગળીનો ઉપયોગ તો કરે છે. પરંતુ તેની ઉપરની છાલને હટાવીને ફેંકી દે છે. મોટાભાગના લોકોને આ વાતની ખબર નથી હોતી કે ડુંગળીની જેમ તેની છાલ પણ ખૂબ ઉપયોગી હોય છે. આવો તમને જણાવીએ છીએ કે ડુંગળીની છાલને કઈ વસ્તુઓ માટે ઉપયોગ કરી શકાય છે. જો તમને ગાર્ડનિંગનો શોખ છે તો ચોક્કસ તમે છોડના વિકાસ માટે માર્કેટમાંથી સારું ખાતર ખરીદીને લાવતા હશો. પરંતુ જો તમે ઈચ્છે તો ડુંગળીની છાલનો ઉપયોગ કરીને ઘર પર જ પોટેશિયમ યુક્ત ખાદ્ય તૈયાર કરી શકો છો. જેની મદદથી છોડ ઝડપથી વધશે. જેના માટે ડુંગળીની છાલને કચરામાં ફેંકવાને બદલે અડધી માટી ભરેલા કુંડામાં ભેગુ કરવાનું શરૂ કરી દો અને તેમાં સમય પ્રમાણે પાણી નાખતા રહો. આમ કરવાથી થોડા દિવસોમાં ડુંગળીની છાલથી ખાતર તૈયાર થઇ જશે, જેને તમે અલગ-અલગ કુંડામાં ખાતરની જેમ નાખી શકો છો.
સારી ઉંઘ લેવામાં સહાયક
ઘણી વખત આખો દિવસ કામ કર્યા બાદ પણ માણસને રાત્રે ઉંઘ લેવામાં સમસ્યા થાય છે, જેના કારણે તણાવ અને થાક લાગે છે. એવામાં આ પરેશાનીથી છૂટકારો મેળવવા માટે દરરોજ રાત્રે ઉંઘતા પહેલા ડુંગળીના છાલથી તૈયાર ચાનું સેવન કરવુ જોઈએ. ઉંઘતા પહેલા ડુંગળીના છાલથી તૈયાર ચા પીવાથી સારી ઉંઘ આવવામાં મદદ મળે છે. જ્યારે મગજની માંસપેશીઓને રાહત મળે છે. એવામાં તમને શરીર, મગજ અને સ્નાયુઓમાં આરામ મળે છે અને માણસ સારી અને ઉંડી ઉંઘ લઇ શકે છે.
સ્કિનમાં ખંજવાળથી રાહત
ડુંગળી ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. જેનો ઉપયોગ કરવાથી ખંજવાળમાં રાહત મેળવી શકાય છે. ડુંગળીની છાલમાં એન્ટી ફન્ગલ ગુણ જોવા મળે છે. જે એથલીટ ફુટ નામની ત્વચાની ખંજવાળ જેવી બિમારીઓથી છૂટકારો અપાવવામાં ફાયદાકારક સાબિત હોઇ શકે છે. જેના માટે ડુંગળીની છાલને પાણીમાં નાખીને સારી રીતે ઉકાળો અને જ્યારે પાણી અડધુ રહી જાય તો તેને ઠંડુ કરીને એક બોટલમાં ભરી દો. હવે આ પાણીને દરરોજ સ્કિન પર લગાવો. જેનાથી સંક્રમિત જગ્યા પર ખંજવાળની સમસ્યાથી રાહત મળશે.
પગમાં દુ:ખાવો અને ખેંચાણમાં રાહત
જો તમે પગમાં દુ:ખાવો અને સ્નાયુના ખેંચાણથી પરેશાન છો, તો આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે ડુંગળીની છાલથી તૈયાર ચાનું સેવન કરી શકો છો. જેના માટે 1 ગ્લાસ પાણીમાં ડુંગળીની છાલ નાખીને તેને 15 મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ પાણીને ગાળી લો. જો તમે ઈચ્છો તો ડુંગળીની છાલથી તૈયાર ચાનો સ્વાદ વધારવા માટે તેમાં થોડુ મધ પણ મિલાવી શકો છો. દરરોજ રાત્રે ઉંઘતા પહેલા ડુંગળીની છાલમાંથી બનેલી ચાનું સેવન કરવાથી પગમાં દુ:ખાવો અને ખેંચાણમાં રાહત મળે છે.