હિંદુ ધર્મમાં અંતિમ સંસ્કારના ઘણા નિયમ છે. એ હેઠળ મૃતકના માથા પર ત્રણ વખત ડંડો મારવાની પણ પ્રથા છે. શાસ્ત્રો અનુસાર આવું કરવાથી મરનારની આત્માને શાંતિ મળે છે. પરંતુ આ ઉપરાંત એક બીજુ કારણ છે જેના કારણે આવું કરવામાં આવે છે.
હિંદુ શાસ્ત્રો અનુસાર મુષ્યના શરીરમાં 11 દ્વાર હોય છે. એના દ્વારા જ જન્મ સમયે આત્મા શરીરમાં પ્રવેશ કરે છે અને એ જ રસ્તાથી બહાર નિકળે છે. માન્યતા છે કે મોટાભાગે મનુષ્યના પ્રાણ બ્રમ્હંથ્ર એટલે કે માથામાંથી નિકળે છે.
માથાને શરીરનો સૌથી ઊંચો અને શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે. એટલા માટે જે લોકોની આત્મા માથામાંથી નિકળે છે એમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને એ જન્મ મરણના બંધનથી મુક્ત થઇ જાય છે.
હિંદુ ધર્મમાં વ્યક્તિના અંતિમ સંસ્કાર દરમિયાન એમના માથા પર વાંસના ડંડાથી ત્રણ વખત પ્રહાર કરવામાં આવે છે. ગ્રંથો અનુસાર આ પ્રક્રિયાથી આત્માને શરીરની બહાર નિકાળવામાં મદદ કરવામાં આવે છે. કારણ કે માણસની ખોપડી કડક હોય છે અને સરળતાથી તૂટતી નથી. પરંતુ ડંડો મારવાથી આ પ્રક્રિયા સરળ થઇ જાય છે.
કહેવાય છે કે જ્યારે મૃતકને ડંડો મારવામાં આવે છે એના માથાનું માળખું થોડું નબળું થઇ જાય છે. જે અગ્નિના સંપર્કમાં આવીને જલ્દી તૂટી જાય છે.
શાસ્ત્રોમાં એક બીજો તર્ક આપવામાં આવ્યો છે કે માથા પર ડંડો એટલે મારવામાં આવે છે કારણ કે એ આત્માના દુરુપયોગ થઇ શકે નહીં. વાસ્તવમાં મર્યા બાદ શરીરથી તો આત્મા નિકળી જાય છે પરંતુ એ સંસારમાંથી ત્યાં સુધી મુક્ત થતી નથી જ્યાં સુધી એના અંતિમ સંસ્કારની ક્રિયા પૂર્ણ ના થઇ જાય.
જો માથા પર ડંડો ના મારવામાં આવે તો વ્યક્તની આત્મા એના શરીરમાં જ રહે છે. એનો તંત્ર વિદ્યા દ્વારા ખોટો ઉપયોગ કરવામાં આવી શકે છે.
મરનારવ્યક્તિના માથામાં એટલે પણ ડંડો મારવામાં આવે છે કારણ કે કોઇ વ્યક્તિ જીવતો હોય ત્યારે તાંત્રિક ક્રિયાઓ કરતો હોય અથવા એની પાસે એવી કોઇ શક્તિ હતી તો એના મર્યા બાદ તાંત્રિક એની શક્તિઓ ચોરી શકે છે.