તમને એ જાણીને હેરાની થશે કે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન જ્યારે પણ કોઇ દેશની ક્રિકેટ ટીમની સાથે રમે છે, એનાથી માત્ર 7 મીનિટ પહેલા તે એ દેશના કેપ્ટન સાથે બાઉન્ડ્રીની લાઇન પર જઇને જરૂરથી મળે છે. એની પાછળ મોટું કારણ છુપાયેલું છે.
ક્રિકેટનો આ એક એવો પ્રોટોકૉલ છે જેનું પાલન દરેક ટીમના કેપ્ટને કરવાનું હોય છે. આ એક પ્રોટોકૉલ હોય છે એ લિસ્ટના આદાન પ્રદાનનું જેમાં આ લખેલું હોય છે કે ટીમમાં પસંદ કરવામાં આવેલા 11 ખેલાડી કોન કોન છે અને કઇ સીક્વેન્સમાં છે. એને ફૉલો કરવાના પણ ઘણા નિયમ હોય છે.
એના માટે સૌથી પહેલા ટીમ મેનેજરને એક નૉમિનેશન ફોર્મ ભરવાનું હોય છે, જેમ કે અહીંયા એક ફોર્મ આપવામાં આવ્યું છે જેને હેડ કોચ રવિ શાસ્ત્રીએ ભર્યું છે. આ ફોર્મમાં ખેલાડીનો શર્ટ નંબર, નામ અને બેટિંગ ઑર્ડર આપવાના હોય છે. એની સાથે જ કેપ્ટન અને વિકેટ કીપરના નામની સામે એમની જાણકારી આપવાની હોય છે.
ટીમના મેનેજરની એ જવાબદારી હોય છે કે તે સુનિશ્વિત કરે કે એ ફોર્મમાં ભરવામાં આવેલી જાણકારી પૂરી રીતે સાચી છે. આઇસીસીના નિયમો હેઠળ આ જાણકારીઓ ટીમના કેપ્ટનોએ મેચ શરૂ થયાની 7 મીનિટ પહેલા આપવી પડે છે. કહેવામાં આવે છે કે કેટલીક વખત લાસ્ટ મોમેન્ટ પર જ બેટિંગ ઓર્ડર નક્કી થાય છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નિયમો પ્રમાણએ આ ટીમ નૉમિનેશન ફોર્મની ચાર કૉપી કેપ્ટન પાસે હોય છે, એને લઇને તેઓ બાઉન્ડ્રીની લાઇન પર જાય છે જ્યાં બંને કેપ્ટન આપસમાં એક્સચેન્જ કરે છે. આ પ્રક્રિયા ટૉસના એક્ઝેટ 7 મીનિટ પહેલા થાય છે.
આ એક પ્રકારનો એમપીએ એટલે કે મેમ્બર્સ પાર્ટિસિપેટિંગ એગ્રીમેન્ટ હોય છે જેમાં આ પૂરી રીતે નિશ્વિત હોય છે કે કેટલા પ્લેયર્સ આજની મેચમાં સામેલ છે. આ એગ્રીમેન્ટને કોઇ પણ ટીમ તોડી શકે નહીં. આ એગ્રીમેન્ટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમોથી બંધાયેલો હોય છે.
ગત મેચમાં રવિ શાસ્ત્રીની તરફથી જે બેટિંગ ઑર્ડર આપવામાં આવ્યો એમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની જર્સીનો નંબર પણ આપવાામાં આવ્યો છે. આ નંબરોથી તમે તમારા ખેલાડીઓને સરળતાથી ઓળખી પણ શકો છો.