શું તમને લાગે છે કે તમે મચ્છરોનો મનપસંદ શિકાર છો તો તમે ખોટા નથી. જાણો કેમ મચ્છર તમારી પાછળ હાથ ધોઈને પડી જાય છે.
દર વખતે તમને જ કેમ કઈડે છે મચ્છર?
મામલો મીઠા કે કડવા લોહીનો નથી
મચ્છરો કઈડવા પાછળ હોઇ શકે છે આ 4 કારણ
મચ્છર તમારી પાછળ હાથ ધોઇને કેમ પડી જાય છે?
શું તમને લાગે છે કે મચ્છર દરેક જગ્યાએ શોધીને તમને કરડે છે અથવા તમારી પાછળ પડી જાય છે તો તમે બિલ્કુલ પણ ખોટા નથી. મચ્છર ભીડમાં ખાસ કરીને તમને કરડે છે જેની પાછળ તમારો કોઈ વહેમ નથી. પરંતુ ઘણા કારણ છે. અભ્યાસ બતાવે છે કે મચ્છરો કઈડી જવા પાછળ શું કારણ છે, જે તમને હેરાન કરી શકે છે. જો કે, આ મામલો મીઠા અને કડવા લોહીનો નથી. પરંતુ ઘણી એવી અલગ વસ્તુઓ છે, જેના કારણે મચ્છર તમારી પાછળ પડી જાય છે.
બ્લડ ગ્રુપ
ઘણા અભ્યાસનુ કહેવુ છે કે બ્લડ ટાઈપ O વાળાને સૌથી વધુ મચ્છર કરડે છે. મચ્છર આ બ્લડ ગ્રુપવાળા લોકો તરફ સૌથી વધુ આકર્ષિત હોય છે. તો મેટાબૉલિક રેટ પણ મચ્છરોની પસંદને પ્રભાવિત કરે છે. પ્રેગ્નેન્ટ મહિલાઓ અને જાડા શરીર ધરાવતા લોકોનો મેટાબૉલિક રેટ વધારે હોય છે, જેને પગલે મચ્છર તેઓને વધુ કઇડે છે.
પરસેવો અને સુગંધ
મચ્છર સુગંધ અને દુર્ગધ બધુ સુંઘી શકે છે. મચ્છરોને લેક્ટિક એસિડ, એમોનિયા અને અન્ય કમ્પાઉન્ડ્સની પણ ઓળખ હોય છે, જે પરસેવાના માધ્યમથી શરીરમાંથી નિકળે છે. જો મચ્છરોને તમારા શરીરમાંથી આવતી ગંધ સારી લાગશે તો તેઓ તમને વધુ કઇડશે.
સ્કિન
સ્કિનની ઉપર રહેલા બેક્ટેરિયા મચ્છરો માટે આમંત્રણ હોય છે. ઘણા રિસર્ચ કહે છે કે માણસના શરીર પર જેટલા બેક્ટેરિયા હશે તેટલા મચ્છર તેની તરફ આવશે. જેને પગલે પણ મચ્છર મોટાભાગે પગે કઇડે છે, કારણકે ત્યાં બેકટેરિયા વધુ હોય છે.
ગેસ
કાર્બનડાયોકસાઈડ એવો ગેસ છે, જેની મચ્છરોને ઓળખ છે. આ સાથે મચ્છર 5 થી 15 મીટર દૂરથી પણ મચ્છર પોતાના નિશાનને ઓળખી લે છે. જે લોકો જેટલો લાંબો શ્વાસ લેતા હોય છે એટલે કાર્બનડાયોકસાઈડ પ્રોડ્યુસ કરે છે, તેથી મચ્છર તેમની તરફ આકર્ષિત થાય છે.