હૃતિક રોશન હાલમાં ડાયરેક્ટર વિકાસ બહલની ફિલ્મ 'સુપર 30'ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મ 2019માં રિલીઝ થશે. જો કે આ તો અપકમિંગ ફિલ્મની વાત કરી. પરંતુ આજે વાત કરીશું હૃતિક રોશનની 2003માં આવેલી ફિલ્મ 'કોઇ મિલ ગયા'ની. આ સુપરહિટ ફિલ્મમાં એક કિરદાર જાદૂનું પણ હતું જે આજે પણ લોકોને યાદ છે. ફિલ્મમાં જાદૂએ દરેક લોકોને જોયો હતો પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે આ જાદૂનું કિરદાર કોણે નિભાવ્યું હતું.
ફિલ્મમાં એલિયન એટલે કે જાદૂનું પાત્ર ઇન્દ્રવદન જે પુરોહિતે નિભાવ્યું હતું. તમને જણાવી દઇએ કે ઇન્દ્રવદનની લંબાઇ માત્ર 3 ફુટ હોવાને કારણએ એમને જાદૂના કિરદાર માટે પસંદ કરવામાં આવ્યા હતા. ઇન્દ્રવદને ફિલ્મો ઉપરાંત ટીવી સિરીયલોમાં પણ કામ કર્યું છે. જો કે હવે તેઓ આ દુનિયામાં નથી. એમને પોતાના 50 વર્ષ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીને આપ્યા.
હૃતિક રોશને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ માટે જાદૂના કોસ્ટ્યૂમન ઓસ્ટ્રેલિયામાં બનાવડાવવામાં આવ્યો હતો. જેમ્સ કોલનર નામના આર્ટિસ્ટે એને ડિઝાઇન કર્યો હતો. આ કોસ્ટ્યૂમને બનાવવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો. એમાં ઘણા સ્પેશિયલ ફીટર્સ હતા. જેમ કે એની આંખો માણસ અને જાનવપ બંનેથી પ્રભાવિત થઇને બનાવવામાં આવી હતી. સૂત્રોનું માનીએ તો આ ડ્રેસનીકિંમત આશરે એક કરોડ રૂપિયા હતી.
ફિલ્મના ડાયરેક્ટર રાકેશ રોશને ફિલ્મથી જોડાયેલો એક કિસ્સો ઇન્ટરવ્યૂમાં જણાવ્યો હતો. એમને જણાવ્યું હતું કે ફિલ્મમાં એક સીન છે જ્યાં ઘણા બધા હાથી જાદૂની સામે આવી જાય છે અને એ ડરી જાય છે. પરંતુ હકીકતમાંએવું થયું નહતું. હકીકતમાં જ્યારે હાથીઓને સેટ પર લાવવામાં આવ્યા અને હાથિઓએ જાદૂને જોયો તો ડરી ગયા હતા.