શું તમે જાણો છો કે આ શિવલિંગની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે? અને શિવલિંગનો અર્થ શું છે? આજે અમે તમને એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
શિવલિંગને આ બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે
શિવલિંગની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે?
શિવલિંગનો અર્થ શું છે?
ભગવાન શિવને ભક્તો શિવશંકર, ત્રિલોકેશ, કપાલી, નટરાજ સહિત અનેક નામોથી બોલાવે છે. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન શિવનો મહિમા અપરંપાર છે. હિન્દુ ધર્મમાં ભગવાન શિવની મૂર્તિ અને શિવલિંગ બંનેની પૂજા કરવામાં આવે છે આ સાથે જ એવું કહેવાય છે કે જે ભક્ત ભગવાન શિવની સાચા મનથી ભક્તિ કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ધાર્મિક શસ્ત્રોમાં શિવલિંગનું અલગ જ મહત્વ સમજાવવામાં આવ્યું છે. શિવલિંગને આ બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે આ શિવલિંગની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે? અને શિવલિંગનો અર્થ શું છે? આજે અમે તમને એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
શિવલિંગની ઉત્પત્તિ કેવી રીતે થઈ?
એક પૌરાણિક દંતકથા અનુસાર, બ્રહ્માંડની રચના પછી ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે યુદ્ધ થયું હતું અને બંને પોતાને સૌથી શક્તિશાળી સાબિત કરવામાં વ્યસ્ત હતા. આ દરમિયાન આકાશમાં એક ચમકતો પથ્થર જોવા મળ્યો અને આ સાથે જ આકાશવાણી થઈ હતી જેમાં કહેવામાં આવ્યું કે જે આ પથ્થરનો જે કોઈ અંત શોધી લેશે તેને શક્તિશાળી માનવામાં આવશે. એવું માનવામાં આવે છે કે તે પથ્થર જ શિવલિંગ હતું.
પથ્થરનો છેડો શોધવા માટે ભગવાન વિષ્ણુ નીચે ગયા અને ભગવાન બ્રહ્મા બંને ઉપર ગયા પણ બંનેને અંત ન મળ્યો એ પછી ભગવાન વિષ્ણુએ પોતે હાર સ્વીકારી પણ બ્રહ્માજીએ વિચાર્યું કે જો હું પણ હાર માનીશ તો વિષ્ણુ વધુ શક્તિશાળી ગણાશે. એટલા માટે બ્રહ્માજીએ કહ્યું કે તેમને પથ્થરનો છેડો મળી ગયો પણ એટલામાં ફરી એક અવાજ આવ્યો કે હું શિવલિંગ છું અને મારો ન તો અંત છે કે ન તો શરૂઆત અને તે જ સમયે ભગવાન શિવ પણ પ્રગટ થયા હતા.
શિવલિંગનો અર્થ શું છે?
શિવલિંગ બે શબ્દોથી બનેલું છે. શિવ અને લિંગ. શિવ એટલે કલ્યાણ અને લિંગ એટલે સર્જન. શિવલિંગ બે પ્રકારના છે, પહેલું જ્યોતિર્લિંગ અને બીજું પારદ શિવલિંગ. જ્યોતિર્લિંગને આ સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે અને જ્યોતિર્લિંગની ઉત્પત્તિ વિશે ઘણી કથાઓ પણ પ્રચલિત છે. કહેવાય છે કે મન, ચિત્ત, બ્રહ્મા, માયા, આત્મા, બુદ્ધિ, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને ધરતીમાંથી શિવલિંગનું સર્જન થયું છે.