ગઈકાલે 150થી વધુ લોકોનો ભોગ લેનાર દક્ષિણ કોરિયાના હેલોવિન પર્વ પૂર્વજોના આત્માઓની શાંતિ માટે ઉજવતા તહેવાર છે.
150થી વધુ લોકોનો ભોગ લેનારી કોરિયાની હેલોવિન પર્વને લઈને ખુલાસો
પૂર્વજોની આત્માની શાંતિ માટે ઉજવાય છે હેલોવિન પર્વ
હેલોવિન પાર્ટીમાં લોકો ભૂતિયા કપડાં પહેરીને આવે છે
ભેંકાર કપડામાં મનાવે છે પાર્ટી
મોટાભાગના ખ્રિસ્તી દેશોમાં પ્રચલિત છે તહેવાર
દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં હેલોવીન પાર્ટી દરમિયાન થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 151 લોકોના મોત થયા છે. આમાં 100થી વધુ લોકોના મોત માત્ર કાર્ડિયાક અરેસ્ટના કારણે થયા હતા. સેંકડો લોકો હજી પણ હોસ્પિટલમાં દાખલ છે અને તેમના જીવન માટે લડી રહ્યા છે. કોરિયાની સરકારે આગામી દિવસોમાં તમામ હેલોવીન પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. લગભગ ત્રણ વર્ષ બાદ દક્ષિણ કોરિયામાં કોરોના પ્રતિબંધો વચ્ચે આટલી મોટી ઉજવણી કરવામાં આવી રહી હતી, જે શોકમાં ફેરવાઈ ગઈ હતી. મોટાભાગના લોકો હેલોવીન પાર્ટી વિશે જ જાણે છે કે આ દિવસે ભૂતિયા ગેટઅપ્સ લેવાનો રિવાજ છે. પરંતુ શા માટે તેની ઉજવણી કરવામાં આવે છે અને શા માટે પશ્ચિમી દેશોમાં તેની મોટી ધાર્મિક માન્યતા છે. હવે ભારતમાં પણ ધીમે ધીમે તેનો ક્રેઝ વધી રહ્યો છે. આવો જાણીએ.
ભૂત જેવા કપડાં પહેરીને ઉજવે છે પાર્ટી
31 ઓક્ટોબરના રોજ ખ્રિસ્તી સમુદાયો હેલોવીન દિવસની ઉજવણી કરે છે. આ દિવસે લોકો ડરામણા કે કહો કે ભૂતિયા ગેટઅપ સાથે રસ્તા પર નીકળે છે જેમાં જાતજાતના ડરામણા કાળા કપડાં પહેરીને નાના મોટા સૌ કોઈ એક ઠેકાણે ભેગા થાય છે અને પૂર્વજોની શાંતિ માટે પ્રાર્થના કરે છે. હેલોવીન પાર્ટી સદીઓથી ઉજવવામાં આવે છે. હવે ધીરે ધીરે ભારતમાં પણ તેનો ક્રેઝ વધી રહ્યો છે. હેલોવીનની શરૂઆત સૌપ્રથમ આયર્લેન્ડ અને સ્કોટલેન્ડમાં થઈ હતી. ખ્રિસ્તી સમુદાયના લોકોનું માનવું છે કે હેલોવીન ડે પર ભૂત-પ્રેતના કપડા પહેરવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે.
હેલોવીન દિવસ આત્માઓનો દિવસ
હેલોવીન દિવસ આત્માઓનો દિવસ ગણાય છે, હેલોવીન શબ્દનો અર્થ આત્માઓનો દિવસ એવો થાય છે. આ પશ્ચિમી દેશોનો તહેવાર છે. જેનો હેતુ પૂર્વજોના આત્માને શાંતિ મળે તે છે. પહેલા આ તહેવાર જોવો કોઇ મોટા કામથી ઓછો નહોતો. કારણ કે ડરામણા કપડાં અને ગેટઅપવાળા લોકોને જોઈને વાતાવરણ એકદમ ડરામણું હતું. જો કે હવે તેને ઓર્ગેનાઇઝ કરવું ઘણું સરળ થઇ ગયું છે અને આ દિવસે પહેરવામાં આવતા ડ્રેસના કારણે તેની ખૂબ જ ચર્ચા થઇ રહી છે.
હેલોવીન ડે પર તહેવારના અંતે કોળાને દફનાવવાની પરંપરા
હેલોવીન તહેવારની ખાસ વાત એ છે કે તહેવારને અંતે કોળાને દફનાવવાની પરંપરા છે. લોકોને કોળાને પૂર્વજોનું પ્રતીક માનવે છે. આ દિવસે લોકો કોળાને ખોખલું કરીને તેમાં સળગતી મીણબત્તીઓ નાખે છે અને પછી તેમાં ડરામણા આકાર બનાવે છે. ઘણા લોકો તેને તેમના ઘરની બહાર અંધારામાં ઝાડ પર લટકાવે છે અથવા તો જમીનમાં દફનાવી દે છે.
કોરિયાની રાજધાની સિઓલમાં શું બની ઘટના
દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં શનિવારે રાતે હેલોવિન તહેવારની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. સાંકડી શેરીમાં લગભગ 1 લાખ લોકો ખીચોચીખ ભરાયા હતા અને આ દરમિયાન કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ થતા નાસભાગ મચી હતી જેમાં 150થી વધુ કચડાઈ મર્યા હતા અને બીજા કેટલાક હજુ તો જીવન મરણ વચ્ચે હોસ્પિટલમાં ઝોલા ખાઈ રહ્યાં છે. આત્માની શાંતિ માટે ભેગા થયેલા લોકો જ મોતને ભેટ્યાં.