આપણા હૃદયની વાત ભગવાનને કહી શકાય તેને પ્રાર્થના કહેવાય છે. પ્રાર્થના દ્વારા વ્યક્તિ પોતાની જાતને અથવા અન્યને ખુશ કરવાના પ્રયત્નો કરે છે
તંત્ર મંત્ર ધ્યાન અને ઉચ્ચારણને પણ પ્રાર્થનાનો એક ભાગ માનવામાં આવે છે. પ્રાર્થના સૂક્ષ્મ સ્તરે કામ કરે છે અને સમસ્યાઓના આધારે પ્રકૃતિ અને તમારા મનને બદલે છે.
ઘણીવાર અમુક લોકો દ્વારા કરવામાં આવેલી પ્રાર્થના ખૂબ જ ઝડપથી પરિણામ ઉત્પન્ન કરે છે. તો આજે અમે તમને જણાવશું કે પ્રાર્થનાનો નિયમ શુ છે અને પ્રાર્થના કેવીરીતે કરવી જોઇયે.
ભગવાન કેમ સ્વીકારતા નથી પ્રાર્થના:
- વ્યવસાય અને લેવડ-દેવડ જેવી પ્રાર્થના નિષ્ફળ જાય છે.
- ખોરાક અને વ્યવહાર પર ધ્યાન ન રાખવાથી પણ પ્રાર્થના નિષ્ફળ જાય છે.
- માતા-પિતાનુ સમ્માન ન કરવાથી પણ પ્રાર્થના નિષ્ફળ જાય છે.
- અર્થ વગરની પ્રાર્થના પણ નિષ્ફળ જાય છે.
શુ છે પ્રાર્થના કરવાનો સાચો નિયમ:
- યોગ્ય રીતે કરેલી પ્રાર્થના જીવનમાં ચમત્કારી ફેરફર લાવી શકે છે.
- પ્રાર્થના સરળ અને સ્વચ્છ રીતે થવી જોઈએ.
- શાંત વાતાવરણમાં ખાસ કરીને મધ્ય રાત્રે કરેલ પ્રાર્થના પ્રભુ ઝડપી સ્વીકારે છે.
- પ્રાર્થના એકાંતમાં કરો અને કોઇ નક્કી કરેલા સમયે કરશો તો વધુ સારું રહેશે.
- અન્ય વ્યક્તિના નુકશાન માટે બિનજરૂરી પ્રાર્થના કરશો નહીં.
કેવીરીતે કરવી પ્રાર્થના:
- એકાંતમાં બેસો.
- સૌ પ્રથમ તમારા માતા-પિતા ગુરુ અથવા ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરો ત્યારબાદ જે પ્રાર્થના કરવાની હોય તે કરો.
- ભગવાનને કરેલી તમારી પ્રાર્થનાને ગુપ્ત રાખો.
- વારંવાર જ્યારે પણ તમને કોઈ તક મળે ત્યારે તમારી પ્રાર્થનાનું પુનરાવર્તન કરો.
આ નિયમો મુજબ તમે જો સાચા દિલથી ઇશ્વરને પ્રાર્થના કરશો તો ભગવાન તમારી પ્રાર્થના જરૂર સાંભળશે અને તમારી સમસ્યામાંથી ઇશ્વર તમને બહાર લાવશે.