દક્ષિણ ભારતમાં એક એવું સ્વર્ણ મંદિર છે. જેના વિશે કહેવામાં આવે છે કે આ મંદિરમાં વપરાયેલા સોના બરાબર સોનુ વિશ્વના કોઈ પણ સ્થળે પૂજા કરવામાં પણ નથી વપરાયું. આ મંદિર દક્ષિણ ભારતના તામિલનાડુ રાજ્યના વેલ્લોર પાસે સ્થિત છે.
આ મંદિરને 'શ્રી પુરમ મહાલક્ષ્મી'ના નામથી ઓળખવામાં આવે છે. આ આખા મંદિરનું નિર્માણ સોનાથી થયું છે. આ મંદિરમાં લગભગ 15000 કિલો શુદ્ધ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ મંદિર અંદાજિત 100 એકરના વિસ્તારમાં ફેલાયેલું છે. રાત્રીના સમયે દીવડાથી ઝગમગતા આ મંદિરને જોવાથી અદભુત અનુભવ થાય છે.
એક સન્યાસીનો પ્રયત્ન:
આ મંદિર રેલવે સ્ટેશનથી અંદાજિત સાત કિલોમીટરના અંતરે આવેલું છે. લોક વાયકા મુજબ આ મંદિરના નિર્માણમાં એક સન્યાસી શક્તિ 'અમ્મા'નું મહત્વપૂર્ણ યોગદાન છે. આ મંદિરની રચના વૃત્તાકાર છે અને મંદિર પરિસરની બહાર એક અદભુત સરોવર બનાવવામાં આવ્યું છે. આ સરોવરમાં ભારતની બધી જ મુખ્ય નદીઓનું પાણી લાવવામાં આવ્યું છે. આ કારણથી તેને 'સર્વ તીર્થમ સરોવર' કહેવામાં આવે છે.
આ ઉપરાંત આ મંદિરની દીવાલો પર અંદર અને બહાર બંને બાજુ કોટિંગ કરવામાં આવ્યું છે. 'શ્રી પુરમ મહાલક્ષ્મી મંદિર' ઉપર લગભગ સોનાની નવથી પંદર પરચીઓ બનાવવામાં આવી છે અને આ પરચીઓને શિલાલેખોથી સજાવવામાં આવી છે.જે કાળા વેદોથી લીધી હોય તેવું બતાવવામાં આવી રહ્યું છે.
લાગુ પડે છે પોશાકનો સખ્ત કાયદો:
બધાથી મહત્વપૂર્ણ વાત છે કે આ મંદિરમાં આવતા જતા બધાને એક સખ્ત ડ્રેસકોડનું પાલન કરવું પડે છે. આ મંદિરમાં આવતા જવા વાળા શ્રદ્ધાળુઓની સંખ્યા લાખોમાં નહીં પણ કરોડોમાં છે. પરંતુ આવતા જતા બધા લોકો લૂંગી નાઇટી કે પછી મીડી પહેરીને અંદર પ્રવેશ કરી શકતા નથી. આ મંદિરમાં અભિષેકનો સમય સવારે આઠ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીનો છે. જયારે દર્શનાર્થીઓ સવારે આઠ વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી દર્શન કરી શકે છે.