આજકાલ મોટાભાગના લોકો 2 અથવા એનાથી વધારે બેંક અકાઉન્ટ રાખે છે. મોટી સંખ્યામાં લોકો જરૂરીયાત વગર પણ બે અકાઉન્ટ ખોલાવી દે છે અને બાદમાં એને મેન્ટેન કરી શકતા નથી. નોકરિયાત લોકો માટે આવું કરવાનું સૌથી મોટું કારણ છે કે એક તચો એમની સેલેરી અકાઉન્ટ અને બીજું એમનું પર્સનલ સેવિંગ અકાઉન્ટ. એવામાં આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે એકથી વધારે અકાઉન્ટ ખોલવા પર તમારે એનું કેવી રીતે નુકસાન ઊઠાવું પડી શકે છે.
આ થશે નુકસાન
સેવિંગ અકાઉન્ટમાં બેંક તરફથી મિનિમમ બેલેન્સ રાખવાની જોગવાઇ હોય છે. આવું ના કરવા પર બેંક તમારી પાસેથી પેનલ્ટી વસૂલે છે. કેટલીક બેંકોમાં મિનિમમ બેલેન્સની સીમા 10 000 રૂપિયા છે. એવામાં જો તમારી પાસે બેથી વધારે અકાઉન્ટ છે તો તમારું ટેન્શન વધી શકે છે કારણ કે સામાન્ય નાગરિક માટે સેવિંગ અકાઉન્ટમાં 20 000 રૂપિયા જમા રાખવા ખૂબ જ મુશ્કેલ છે.
ઇન્કમ ટેક્સ ફાઇલ કરવામાં થાય છે પરેશાની
વધારે બેંકોમાં અકાઉન્ટ હોવાથી ટેક્સ જમા કરતી વખતે ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડે છે. કાગળની કાર્યવાહીમાં પણ માથાકૂટ કરવી પડે છે. સાથે જ ઇન્કમ ટેક્સ ફાઇલ કરતી વખતે તમામ બેંક ખાતાથી જોડાયેલી જાણકારીઓ રાખવી પડે છે. સામાન્ય રીતે એમનો સ્ટેટમેન્ટ રેકોર્ડ રાખવો ખૂબ જ મુશ્કેલી વાળું કામ થઇ જાય છે.
ભરવાના હોય છે આ એક્સ્ટ્રા ચાર્જ
ઘણા અકાઉન્ટ હોવાથી તમારે વર્ષની મેન્ટેન ફી અને સર્વિસ ચાર્જ આપવો પડે છે. ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઉપરાંત અન્ય બેંકિંગ સુવિધાઓ માટે પણ બેંક તમારી પાસેથી ચાર્જ કરે છે. તો અહીંયા પણ તમારે ઘણા પૈસાનું નુકસાન ઊઠાવવું પડે છે.
નથી મળતું સારું ઇન્ટરેસ્ટ
એકથી વધારે બેંકોમાં અકાઉન્ટ થવાથી તમને ઓછા વ્યાજના રૂપમાં પણ નુકસાન ઊઠવવું પડે છે. એટલે કે એકથી વધારે અકાઉન્ટ હોવાથી તમારી મોટી અમાઉન્ટ બેંકોમાં ફસાઇ જાય છે. એ રકમ પર તમને વધારેમાં વધારે 4 થી 5 ટકા વર્ષનું રિટર્ન મળે છે. જ્યારે તમે એ પૈસાને બીજી યોજનાઓમાં લગાવી શકો છો. એનાથી તમને વર્ષનું રિટર્ન તરીકે વધારે વ્યાજ મળશે.