આપણને ઘણી વખત સપનાં આવે છે. આમ તો સપનાં બે પ્રકારનાં હોય છે જેનો પ્રથમ પ્રકાર ઉંઘમાં જોવાતા સપનાં અને બિજો પ્રકાર કે ખુલ્લી આંખે જોવાતા સપનાં. ઉંઘમાં આવતા સપનાઓ વિશે માનવામાં આવે છે કે જ્યારે સપનું ચાલું થાય ત્યારે આપણો આત્માં શરીરથી બહાર ફરતો હોય છે. જેથી તે સપનાં બહું યાદ નથી રહેતાં.
ઘણી વાર સપનામાં આત્માને બહુ ત્રાસ અને દુ:ખ મળે છે. એટલું જ નહીં જાગી ગયા પછી પણ એને યાદ કરીએ તો ધબકારા વધી જાય છે. આવો અનુભવ ઘણાં લોકોને થયો હશે પરંતુ કેટલાક લોકોને તો આ સમસ્યા કાયમી થઇ જાય છે. એટલે સુધી કે એ લોકો રાતે સૂતાં બીવે છે અને હતાશ થઇ જાય છે.
ઉંઘમાં ખાબ સપના ના આવે એ માટે કેટલાંક સરળ ઉપાય કરી શકાય છે. જેના ઉપયોગથી તમે ખાબ સપનાઓથી છુટકારો મેળવી શકો છો. જો આવા સપના સતત આવ્યાં જ કરે તો રોજે રાતે સૂતાં પહેલા ગાયત્રી મંત્રનો જાપ કરો.
આ ઉપરાંત જો તમે રાત્રે ગાયત્રી મંત્રની 11 માળા કરી લેશો તો આ તકલીફથી મુક્તિ મળી જશે. રોજ સવારે પૂજા કરતી વખતે ગાયત્રી સહસ્ત્રનામ કે ગાયત્રી ચાલીસાના પાઠ કરો. મા ગાયત્રીની પૂજા ખરાબ સપનાનો પ્રભાવ નષ્ટ કરે છે.
હનુમાનજીનું નામ લેવાથી ખરાબ સપના નથી આવતા અને વ્યક્તિના તમામ કષ્ટ દૂર થાય છે. જેમને ઊંઘ ના આવતી હોય કે ઊઁઘમાં ખરાબ સપના આવતાં હોય એમણે મહેંદીના ફૂલ માથા પાસે રાખીને ઊંઘવું જોઈએ.