બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / તમારી પણ છે આ રાશિ? તો ચેતી જજો, જીવનમાં આવી શકે છે ઉથલપાથલ, રાહુ કરશે શનિના નક્ષત્રમાં પ્રવેશ
Last Updated: 01:24 PM, 18 June 2024
ગ્રહો થોડા સમયાંતરે રાશિચક્રમાં ફેરફાર કરે છે અને તેની સાથે સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હાલમાં રાહુ મીન અને રેવતી નક્ષત્રમાં સ્થિત છે અને 8 જુલાઈના રોજ સવારે 4:11 વાગ્યે તે રેવતી નક્ષત્રથી નીકળીને ઉત્તરા ભાદ્રપદમાં પ્રવેશ કરશે.
ADVERTISEMENT
રાહુના આ નક્ષત્ર પરિવર્તનથી ઘણી રાશિના જાતકોને ઘણા વિશેષ લાભ મળશે તો થોડી રાશિના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. રાહુ માર્ચ 2025 સુધી આ નક્ષત્રમાં રહેશે. એવામાં જાણો કઈ રાશિના લોકોને રાહુ શનિના નક્ષત્રમાં આવવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ADVERTISEMENT
ઉત્તરાભાદ્રપદમાં જતો રાહુ મેષ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત નહીં થાય અને આ રાશિના લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે. આ રાશિના લોકોને અચાનક રોગોનો સામનો કરવો પડી શકે છે તો આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
રાહુ નક્ષત્ર પરિવર્તનની અસરને કારણે સિંહ રાશિના લોકો મૂંઝવણમાં ફસાઈ શકે છે. સાથે જ નોકરીમાં પણ અનેક પ્રકારની અડચણો આવી શકે છે. કેટલાક લોકો માટે, કામ પર કામનો બોજ વધી શકે છે, પરંતુ તમે તેને પાર કરી શકશો.
નક્ષત્ર પરિવર્તનને કારણે તમારા જીવનમાં મોટો ફેરફાર આવશે અને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કામમાં અચાનક નકારાત્મક ઊર્જા વધી શકે છે. એટલા માટે કાર્યક્ષેત્રમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે.
રાહુના નક્ષત્રમાં પરિવર્તનને કારણે આ રાશિના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન તમે જિદ્દી બની શકો છો, સાથે જ અહંકાર અને ખોટું બોલવાને કારણે તમે કેટલાક સંબંધો ગુમાવી શકો છો. રાહુના પ્રભાવથી ધનહાનિ પણ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.