શ્વાસ લેવામાં તકલીફને સામાન્ય રીતે ફેફસાની સમસ્યા અથવા અસ્થમા તરીકે માનવામાં આવે છે પરંતુ આ શ્વાસ લેવામાં તકલીફ હાર્ટ એટેકનો પ્રારંભિક સંકેત પણ હોઈ શકે છે
શ્વાસ સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાને હળવાશમાં ન લેવી
ફેફસાં અથવા હૃદયની સમસ્યાઓ આગળ જતાં જીવલેણ બની શકે
આ કારણે પણ શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે
શરીરમાં થતી કોઈપણ ગંભીર બીમારી નો અંદાજો સમયસર તેના લક્ષણોને જાણીને લગાવી શકાય છે. જો કે ઘણી વખત થોડા લક્ષણો ભ્રમિત કરી શકે છે, જેના વિશે લોકોએ ઘણી સાવધાની રાખવાની જરૂર છે. શ્વાસ લેવામાં તકલીફ આવી એ એક એવી સમસ્યા છે જેને સામાન્ય રીતે ફેફસાની સમસ્યા અથવા અસ્થમા તરીકે માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ શ્વાસ લેવામાં તકલીફ હાર્ટ એટેકનો પ્રારંભિક સંકેત પણ હોઈ શકે છે? હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે શ્વાસ સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાને હળવાશમાં ન લેવી જોઈએ. ફેફસાં અથવા હૃદયની સમસ્યાઓ આગળ જતાં જીવલેણ બની શકે છે.
શ્વાસ લેવામાં તકલીફ પડવી એ પણ હૃદયની કોઈ ગંભીર બીમારીઓનું સંકેત હોઈ શકે છે. જો તમે થોડા સમયથી આવી સમસ્યાઓ અનુભવી રહ્યા છો તો ફટાફટ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ સમય રહેતા આવી સમસ્યાનું યોગ્ય નિદાન મેળવવાથી જીવન બચી શકે છે.
હ્રદયરોગના લક્ષણો
હેલ્થ એક્સપર્ટસ મુજબ સામાન્ય રીતે કોઈ ધમનીઓ બ્લોક થઈ જાય તો શ્વાસ લેવામાં તકલીફ અનુભવાય છે. જો આ સ્થિતિની સારવાર ન કરવામાં આવે તો આગળ જતાં હાર્ટ અટેક આવી શકે છે. જો કે તમને જણાવી દઈએ કે શ્વાસ લેવામાં તકલીફ એ હંમેશા હૃદયની સમસ્યાઓ હોય એવું જરૂરી નથી.છતાં પણ આવીપરિસ્થિતિઓમાં સમયસર સારવારને જરૂરી માનવામાં આવે છે. અન્ય કયા કારણોથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે? ચાલો જાણીએ
આ કારણે પણ શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે
-એનિમિયા - જે લોકોને એનિમિયાની સમસ્યા હોય છે તેઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે
- અસ્થમાના દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ થવી સામાન્ય છે.
- ચિંતા-તણાવની પરિસ્થિતિઓમાં પણ આ સમસ્યા થઈ શકે છે.
-હૃદય અથવા ફેફસાની સમસ્યાઓ.
-- ધૂમ્રપાન કરનારાઓમાં પણ જોવા મળે
-કોઈપણ પ્રકારનું સંક્રમણ
- વધુ પડતી ચરબી
શ્વાસ લેવાની તકલીફથી કેવી રીતે બચવું
-એવી જગ્યાઓ પર જવાનું ટાળો જ્યાં કેમિકલનો ઘણો ઉપયોગ થતો હોય.
-શ્વસન વ્યાયામ કરીને શ્વાસ લેવાની તકલીફથી છુટકારો મેળવી શકાય છે.
-શ્વાસ લેવાની તકલીફથી બચવા માટે ધૂમ્રપાન છોડી દો.
-વજન પર નિયંત્રણ રાખવાથી પણ તમને ફાયદો થઈ શકે છે.