શાકભાજી, સલાડથી લઈને દરેક વસ્તુમાં ટામેટા નખીને ખાવામાં આવે છે. પરંતુ આ આદત ધીરે ધીરે ઘણી બિમારીઓનું કારણ બની શકે છે. જાણો કઈ રીતે...
તમે પણ ટામેટાને નાખો છો શાક અને સલાડમાં?
તો થઈ જજો સાવધાન
જાણો તેનાથી થતા નુકસાન વિશે
અમુક લોકોને ટામેટા ખાવા એટલા પસંદ હોય છે કે તે શાકભાજી, સલાડથી લઈને દરેક વસ્તુમાં ટામેટા નાખીને ખાય છે. ટામેટાને સૌથી વધારે જરૂરી શાકભાજીમાંથી એક માનવામાં આવે છે. ટામેટાની એક સારી વાત એ છે કે તે તમને દરેક સીઝનમાં સરળતાથી મળી જાય છે. આજકાલ ઘરોમાં ટામેટા ઘણા પ્રકારે ખાવામાં આવે છે.
ટામેટાની સેન્ડવિચ, ટામેટાની ચટણી લોકોને ખૂબ જ પસંદ આવે છે. ટામેટાને તમે ઘણા પ્રકારથી ખાઈ શકો છો અને તેના ઘણા ફાયદા પણ છે. પરંતુ અમુક લોકો તેને ખૂબ જ ફાયદાકારક માને છે પરંતુ તે હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે.
વધારે ટામેટા ખાવા કેમ છે ખતરનાક?
તમારી જાણકારી અનુસાર ટામેટા પેટમાં ગેસ કરી શકે છે. સાથે જ હેલ્થ સાથે જોડાયેલી પરેશાનીઓનું કારણ બની શકે છે. માટે તેને એક લિમિટ સુધી ખાવું ખૂબ જ ફાયદાકારક છે. ટામેટા વધારે ખાવાથી એસિડ રિફ્લેક્સ, ડાયજેશનમાં પ્રોબ્લેમ, એલર્જી અને ઘણી બીજી સમસ્યા થઈ શકે છે.
તમે પણ જો વધારે ટામેટા ખાવ છો તો તેના સાઈડ ઈફેક્ટ્સ પણ જાણી લેવા જોઈએ. એક રિપોર્ટ અનુસાર જો તમે એસિડ રિફ્લક્સની સમસ્યા છે તો ટામેટા ખાવા બાદ આ તમારી સમસ્યા વધારી શકે છે. ટામેટાથી થતા એસિડ ગેસ્ટ્રિક એસિડ છોડે છે.
ટામેટાના 4 મોટા નુકસાન
પેટની સમસ્યા
જો ભોજન કર્યા બાદ તમારા પેટમાં બ્લોટિંગ થાય છે તો તમારે ટામેટા ન ખાવા જોઈએ. ટામેટા ખાવાથી ઈરિચેબલ બોવલ સિંડ્રોમ ટ્રિગર થાય છે. સાથે જ આંતરડાની સમસ્યા શરૂ થઈ શકે છે. જેમને પાચન ક્રિયામાં સમસ્યા છે તેમને પણ ટામેટા ખાવાથી બચવું જોઈએ.
થઈ શકે છે એલર્જી
ટામટામાં મળી આવતા યૌગિક હિસ્ટામાઈન શરીરમાં એલર્જીનું કારણ બની શકે છે. ટામેટા વધારે પ્રમાણમાં ખાવાથી ખાંસી, છીંક, એક્ઝિમા, ગળામાં બળતરા, ચહેરા, મોઠા અને જીભમાં સોજા જેવી પરેશાનીઓ થઈ શકે છે. જો તમને કોઈ વસ્તુથી એલર્જી છે તો ટામેટુ ભૂલથી પણ ન ખાવ તમારી એલર્જી વધી શકે છે.
કિડની સ્ટોન
ટામેટામાં ખૂબ વધારે પ્રમાણમાં કેલ્શિયમ અને ઓક્સાલેટ મળી આવે છે જેને વધારે ખાવાથી કિડની સ્ટોન થઈ શકે છે. સાથે જ કિડની સાથે જોડાયેલી બિમારીઓ પણ થઈ શકે છે. કિડનીથી જોડાયેલી બિમારીથી બચવા માંગો છો તો વધારે ટામેટા ન ખાવા જોઈએ.
સંધિવાનું કારણ
ટામેટામાં મળી આવતા હિસ્ટામાઈન અને સોલનિન શરીરમાં કેલ્શિયમ બને છે. જેના કારણે જોઈન્ટ્સમાં સોજા થવાના ચાન્સ વધી જાય છે. તેના કારણે ચાલવા ફરવામાં ખૂબ વધારે દુખાવો થાય છે. ટામેટા વધારે ખાવાથી સંધિવા અથવા અર્થરાઈટિસનું કારણ બને છે.
Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.