શનિદેવની પૂજા માટે વિશેષ સરસવના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે જ તમે સરસવના તેલથી શનિવારના દિવસે પીપળાની પૂજા કરો છો તો તમારું નસીબ બદલાઇ શકે છે. શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવાથી ઘણા પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે અને શનિદેવની પૂજા માટે વિશેશરૂપે સરસવના તેલનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમે સરસવના તેલથી શનિવારના દિવસે પીપળાની પૂજા કરશો તો તમારુ નસીબ બદલાઇ જશે.
શનિવારના રોજ પીપળાના વૃક્ષ નીચે સરસવનું તેલ ચઢાવો અને દીવો પ્રગટાવીને પ્રાર્થના કરો. આ સિવાય પીપળા પર કાચું દૂધ ચઢાવવાથી અને 7 પરિક્રમા લગાવવાથી પિતૃ દોષોનું નિવારણ થાય છે. આ સાથે જ પીપળાનું એક પાદડું ઘરમાં પર્સમાં અથવા કબાટમાં રાખવાથી પણ ફાયદો થાય છે. શનિવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. કારણ કે પીપળાના વૃક્ષ પર તમામ દેવી-દેવતાઓની કૃપા રહેલી છે.
આ સિવાય શનિવારના દિવસે કૂતરાને રોટલી ખવડાવવાની ક્રિયાને પણ ઉત્તમ માનવામાં આવે છે. વિધિવત પીપળાના વૃક્ષની પૂજા કરવાથી તમારા કોઇ દુશ્મન તમારી સામે ટકી શકશે નહી. આ સિવાય તમે પીપળાનું પાન તમારા ઘરના મંદિરમાં પણ રાખી શકો છો. પીપળાની પૂજા કરવાથી શનિના દોષ પણ દૂર થાય છે.