શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મંત્રોનો જાપ ખૂબ જ શક્તિશાળી જણાવવામાં આવ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન શિવના 108 નામોનો જાપ શુભ અને ફળદાયી છે.
શિવજીને પ્રસન્ન કરવા કરો મંત્રોના જાપ
108 નામોના જાપ કરવાથી મળશે શુભ ફળ
જાણો તેના વિશે બધુ જ
ભગવાન શિવને અનેક નામોથી ઓળખવામાં આવે છે. મહાદેવ, ભોલેશંકર, દેવોના દેવ બધા શંકરજીના પ્રખ્યાત નામોમાંથી એક છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે. તેમને ફક્ત 1 લોટો જળ અર્પણ કરીને પણ પ્રસન્ન કરી શકાય છે. આવી સ્થિતિમાં કોઈપણ મનોકામના પૂર્ણ કરવા અને ભોલેનાથની કૃપા મેળવવા માટે શાસ્ત્રોમાં મંત્રોના જાપનું મહત્વ જણાવવામાં આવ્યું છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન શિવની નિયમિત પૂજાની સાથે સાથે તેમની ચાલીસા, મંત્રોના જાપ તેમજ 108 નામનો જાપ કરવાથી વ્યક્તિને બધી જ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. તેની સાથે જ સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ ભગવાન શિવના 108 નામો વિશે.