આ મહીને એટલે કે શ્રાવણ મહીનામાં ભગવાન શિવનો રુદ્રાભિષેક કરાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. તેમાં જે વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવે છે તેનાથી નસીબ ઉઘડી જતું હોય તેવું અનેક કિસ્સામાં જોવા મળે છે. રુદ્રહૃદયોપનિષદમાં ભગવાન શંકંરના રુદ્રાભિષેકના મહત્વ વિશે જણાવવામાં આવ્યું છે.
જે અનુસાર જળથી શિવનો અભિષેક કરવો સૌથી સારું માનવામાં આવે છે. એનાથી મનની શાંતિ મળે છે. સાથે જ ઘરમાં ખુશીઓ આવે છે. જે લોકો ખૂબ ધન- દોલત કમાવા ઈચ્છે છે અને રાતોરાત અમીર બનવા ઈચ્છે છે
તેમણે ભગવાન શંકરને શેરડીના રસથી અભિષેક કરવો જોઈએ. જે લોકો સાંસારિક સુખોને ભોગવવવા ઈચ્છે છે અને સમાજમાં પતિષ્ઠા મેળવવા ઈચ્છે છે તો તેમણે સોમવારે શિવજીને અત્તરનો અભિષેક કરવો જોઈએ. કોઈ બીમારીથી છૂટકારો મેળવવો હોય તો ભગવાન ભોળાનાથને મધ કે કુશોદકથી અભિષેક કરવો જોઈએ.
જે લોકો સાંસારિક બંધનોથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે એવા લોકો કોઈ ધાર્મિક તીર્થ સ્થાનની પાસે આવેલી નદીના જળથી શિવજીનો અભિષએક કરવો જોઈએ. એનાથી એમને જન્મ-મરણના બંધનમાંથી મુક્તિ મળશે. કોઈ વ્યક્તિ પુત્રની કામના કરે છે તો શ્રાવણના સોમવારે સાકર મિશ્રિત જળનો શંકર ભગવાનને અભિષેક કરવો જોઈએ.
જેમને પુરુષાર્થથી સઘળું પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેણે ગંગાજળથી શિવજીનો અભિષએક કરવો જોઈએ. જળ અર્પણ કરતી વખતે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા જોઈએ. કોઈ વ્યક્તિ પોતાના શત્રુઓથી પરેશાન હોય તો તેણે સોમવારે સરસવના તેલથી શિવજીનો અભિષેક કરવો જોઈએ. એનાથી વિરોધીઓ પરાસ્ત થાય છે.