દરેક ઘરમાં કોઈને કોઈ સમસ્યાઓ રહેતી હોય છે. પરંતુ જો તમે તેને ઈગ્નોર કરો છો તો તમારા ઘરમાં નેગેટિવ એનર્જી ઘર કરી જાય છે. આ એનર્જી તમારા ઘરના માહોલને બગાડે છે. પરંતુ જો તમે ઘરની જ કેટલીક ચીજોનો યોગ્ય રીતે ઉપયોગ કરી લો છો તો તમારી મુશ્કેલીઓ ઘટી જાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર મીઠું એ નકારાત્મક શક્તિઓના પ્રભાવને ઘટાડનારું માનવામાં આવે છે. જો તમે મુખ્ય દરવાજાના પગલૂછણિયા પર થોડું મીઠું છાંટી લો તો તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ અને મુશ્કેલીઓ આવતી અટકી જશે.
ઘરમાં સુખ સમૃદ્ધિ માટે કરો આ 1 ઉપાય
વાસ્તુ શાસ્ત્રમાં મીઠાનું છે ખાસ મહત્વ
ઘરના પગલૂંછણિયા પર છાંટી લો મીઠું
મીઠાનો આ રીતે કરી લો ઉપયોગ
વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘર અને તેમાં રાખેલો સામાન દરેકને સાચી દિશામાં રાખવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી વધે છે અને તમારી લાઇફમાં ઇમ્પ્રૂવમેન્ટ પણ થાય છે. તમે ઘરની સાફસફાઈ રાખો છો અને ગંદકીથી બચો તે તો યોગ્ય છે જ. તમે પોતું લગાવતી સમયે તેમાં મીઠું નાંખો તો તેનાથી માખી મચ્છર તો ઘટે છે સાથે જ નકારાત્મક શક્તિઓ પણ ઘટે છે. મીઠું નેગેટિવ એનર્જીને શોષવાનું કામ કરે છે.
પગલૂંછણિયા પર છાંટી લો આ વસ્તુ
જ્યારે તમે ફર્શ ઉપર પગલુછણીયુ પાથરો છો ત્યારે તેની પર થોડું મીઠું છાંટી લો. તેનાથી તમે જ્યારે પગ લૂછો છો ત્યારે તમારા પગની ગંદગી અને તમારામાં બહારથી આવેલી નકારાત્મક શક્તિઓ ત્યાં જ અટકી જાય છે. મીઠું શરીરની નેગેટિવીટી દૂર કરવાનો સૌથી બેસ્ટ નુસખો છે. આ જ કારણ છે કે નજર લાગે ત્યારે પણ લૂણ (મીઠું)ઉતારવામાં આવે છે. આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં ફક્ત ને ફક્ત પોઝિટિવ એનર્જી વધુ રહેશે જે તમારા ઘરમાં સુખદ અને સકારાત્મક માહોલ બનાવી રાખશે.