આપણે સૌ ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિની મૂર્તિની સ્થાપના કરીએ છીએ અને તેની પૂજા અર્ચના કરીએ છીએ. માનતા મુજબ કોઈ પણ દિવસે તેનું વિસર્જન પણ કરીએ છીએ. આ 10 દિવસના શુભ અવસરમાં નોમનું ખાસ મહત્વ હોય છે.
2 સપ્ટેમ્બર 2019 અને ચોથના દિવસથી શરૂ થયેલો ગણપતિનો ઉત્સવ આજે નોમ સુધી પહોંચ્યો છે. ગણેશજીની પૂજા સાથે જ દિવસની શરૂઆત કરવામાં આવે છે. નોમના દિવસે ગણેશજીને ખાસ ભોગ ચઢાવવામાં આવે છે. આ ભોગ તમે ઘરે જ સરળતાથી તૈયાર કરી શકો છો. સાથે જ નોમના દિવસે પૂજાની સાથે આ ખાસ ઉપાયો કરી લેવામાં આવે તો ધન સંબંધી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ગણેશજીની કૃપા કાયમ તમારા પર રહે છે. જાણી લો આ દિવસે કરવામાં આવતા ખાસ ઉપાયો અને પૂજાની વિધિ અને ભોગ વિશે.
નોમના દિવસે કરી લો આ ખાસ ઉપાય
તમે આ દિવસે કોઈ પણ ગણેશ મંદિરમાં દર્શન કરો તો ભગવાનની કૃપા મળે છે.
આ દિવસે ગરીબોને કપડા, ફળ અનાજ વગેરેનું દાન આપો. દાન કરવાથી શ્રીગણેશ પોતાના ભક્તો પર પ્રસન્ન થાય છે.
ધન પ્રાપ્તિ માટે ભગવાન શ્રીગણેશને ધુદ્ધ ઘી અને ગોળનો ભોગ લગાવો. પછી તે ભોગ ગાયને ખવડાવી દો. આ ઉપાય કરવાથી ધન સંબંધી સમસ્યા દૂર થઈ જશે.
કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે બ્રાહ્મણને પૂજા કરીને ગોળ, આખા ધાણા, ઘી વગેરે દાન કરવાથી ધન પ્રાપ્તિ થાય છે.
ગોળમાં દુર્વા લગાવીને બળદને ખવડાવવાથી રોકાયેલું ધન ઝડપથી પ્રાપ્ત થાય છે.
ગોળ અને ઘીના પ્રસાદમાં અન્ય કંઈ નહીં તો સુખડીનો ભોગ પણ ધરાવી શકો છો.
જેટલા દિવસ ગણેશજી બેસાડો એટલા દિવસ દરમિયાન ગણેશજીને દુર્વા, મોદક, ગોળ, ફળ, માવા, મિષ્ઠાન વગેરે અર્પણ કરો. ભગવાન ગણેશ બધી મનોકામના પૂરી કરશે.
ગણેશજીને પ્રિય એવા પ્રસાદ ધરાવો અને સાથે શક્ય તેટલું વધુ ભજન કીર્તન કરો. તેનાથી પણ ગણેશજી તમારા પર પ્રસન્ન થશે.