આજે દેશભરમાં હનુમાન જયંતિનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ સાથે આજે બજરંગબલીની પૂજા કરવાથી ઘરમાં સુખ અને શાંતિની સાથે સમૃદ્ધિ પણ આવે છે અને મનોકામનાઓ પૂરી થાય છે.
આજે હનુમાન જયંતિનો તહેવાર
પૂજા અર્ચનાથી મળશે અપાર પુણ્ય
આ ઉપાય અને મંત્રજાપ અપાવશે સફળતા
આજે કરી લો આ ખાસ ઉપાય
પૂજા સમયે લાલ ધોતી પહેરવી શુભ રહેશે.
ચોલા ચઢાવવા માટે ચમેલીના તેલનો કરો ઉપયોગ.
ચમેલીના તેલનો હનુમાનજીને દીવો કરો.
ગુલાબના ફૂલની માળા અને કેવડાનું અત્તર લગાવો.
એક પાન પર થોડા ચણા અને ગોળ લઈને હનુમાનજીને ભોગ ચઢાવો.
ગુલાબના ફૂલની માળામાંથી એક ફૂલ લઈને તિજોરીમાં રાખો. ધન વધશે.
સાંજના સમયે ફરીથી શુદ્ધ ઘી અને સરસિયાના તેલનો એમ 2 દીવા કરો.
હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પુણ્ય મળશે.
કરો આ 1 પાઠ, મળશે લાભ
આજે રામરક્ષા સ્ત્રોતનો પાઠ કરવાથી પુણ્ય મળે છે.
राम रामेति रामेति रमे रामे मनोरमे।
सहस्त्र नाम तत्तुन्यं राम नाम वरानने।।