જો ઘરમાં પૈસાની તકલીફ રહેતી હોય ધંધામાં ફાયદો ન થતો હોય ટૂંકમાં કે તમારે પૈસાની બચત ન થતી હોય તો ભગવાન ગણપતિ તમારી સમસ્યા દૂર કરી શકે છે. કુંડલીમાં ધનભાવના સ્વામી બુધને માનવામાં આવે છે બુધ જો સારો હશે તો તમને ધનની ક્યારેય કમી નહી આવે. તમારી પૈસાની અછતને હંમેશાં દૂર કરી દેશે. તો ગમે તે બુધવારથી જ ચાલુ કરો આ ઉપાય.
આવીરીતે કરો ઉપાય:
- સવારે વહેલા ઉઠી નહિ-ધોઈ સાફ કપડા પહેરી લો. ત્યારબાદ મંદિરની સફાઈ કરો જો બની શકે તો ગંગાજળ પણ છાંટો.
- સ્વચ્છ માટી લાવી ગણપતિની મૂર્તિ બનાવો.
- મૂર્તિ બનાવી લાલ કપડામાં લપેટી તેને ઘરમાં સ્થાપિત કરો.
- શ્રદ્ધા પૂર્વક ગણપતિને કંકુ ચોખા અને અબીલ ગુલાલથી પૂજા કરો.
- ભગવાનને રેશમી વસ્ત્રો અને યજ્ઞોપવિત અર્પિત કરો.
- પુજન કરતી વખતે મનો મન ૐ ગણપતિય નમ: ના જાપ કરો.
- પૂજન બાદ તેમને ભોગ ચડાવો.
- ત્યારબાદ ગણપતિના પાઠ કરો.
- આ વિધિ 41 દિવસ સુધી કરો ત્યારબાદ 42મા દિવસે મૂર્તિને નદીમાં વિસર્જિત કરો અને ત્યારબાદ એક બ્રાહ્મણને જમાડવાથી આ કરવાથી તરત તમારી નાણાં ભીડ દુર થઇ જશે અને તમે ટેન્સન મુક્ત જીવન જીવી શકશો.