નવરાત્રી પછી દેશભરમાં ધામધૂમથી દશેરાની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. દશેરા સાથે બે ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. ભગવાન શ્રીરામે આ દિવસે રાવણનો વધ કરીને અસત્ય પર સત્યની જીત મેળવી તો 9 રાતે અથવા 10 દિવસના યુદ્ઘ પછી આજ દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો નાશ કર્યો હતો. આથી જ દશેરાને વિજયા દશમી તરીકે ઓળખવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શરૂ કરવામાં આવેલું કામ ક્યારેય નિષ્ફળ જતું નથી.
- ઝાડુને દેવી મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. આથી તેના ઉપાય ધન સંબંધિત સફળતા મેળવવામાં ખૂબ જ મદદ કરે છે. તમે આ ઉપાય દશેરાના દિવસે કરો તો તેનો અચૂક લાભ મળશે. દશેરાની સાંજે જ્યારે રાવણ દહનની વિધિ થઇ જાય ત્યારે કોઇ મંદિરમાં નવું ઝાડુ કોઇ એવી જગ્યાએ મૂકી આવો જ્યાં તમને એ મૂકતા બીજુ કોઇ ના જોઇ શકે. મા લક્ષ્મીને દાન પ્રસન્ન કરે છે. ઝાડુનો આ ઉપાય ધન સબંધી તમામ મુશ્કેલી દૂર કરે છે. જો તમને એવું લાગતું હોય કે તમે મંદિરમાં છૂપાઇને આ કામ નહી કરી શકો તો કોઇ બાળક પાસે આ કામ કરાવી લો.
- દશેરાના દિવસે ફટકડી લો. ફટકડીનો આકાર એવો જ હોવો જોઇએ જ તમારી મુઠ્ઠીમાં સંપૂર્ણરીતે સમાઇ જાય. ઘરના બધા સભ્યોને તેનો સ્પર્શ કરવા કહો. હવે ઘરના ટેરેસ પર જાવ અને ત્યાં આ ફટકડી ફેંક આવો. એને જે તરફ ફેંકવાની હોય તેની ઊંધી દિશામાં ઉભા રહો. આંખો બંધ કરો અને મનમાં ઇષ્ટદેવનું ધ્યાન કરતા પોતાની મનોકામના બોલો અને તમારી બધી જ તકલીફો દૂર કરવા અને ધન-સમુદ્ઘિ આપવા પ્રાર્થના કરો. હવે માથા પાછળ હાથ લઇ જાવ અને ફટકડીને ઊછાળીને ફેંકી દો. ઊંધુ જોયા વગર પાછા આવતા રહો. ઘરે ટેરેસ ન હોય અથવા તો તમે ભાડાના મકાનમાં રહેતા હોવ તો કોઇ બગીચા અથવા તો ખાલી જગ્યાએ આ કામ કરો જ્યાં વધુ લોકો આવતા-જતા ન હોય.
- નાની ચીઠ્ઠીમાં રામનું નામ લખો અને તેને લોટની નાની ગોટીઓની વચ્ચે માછલીઓને ખવડાવો. આમ કરવાથી તમારા પર હંમેશા રામ ભગવાનની કૃપા રહેશે અને તમારે ક્યારેય અછત દિવસો નહી જોવા પડે.
- ધન પ્રાપ્તિ માટે કોઈ કૂતરાને બેસનના લાડુ ખવડાવવાનું શરૂ કરો. આવુ 43 દિવસ સુધી કરો. આવુ કરવાથી ધન લાભના યોગ બનશે અને ઘરમાં બરકત રહેશે. જો ઘરમાં પૈસા ન ટકતા હોય તો આ લક્ષ્મી પણ સ્થિર થશે. તમારી ધનને લગતી બધી જ સમસ્યાઓ દૂર થશે. તમારા બગડેલા કામ બની પાર પડશે અને વેપાર-કરિયરમાં સફળતા મળશે.
- દશેરાની રાતથી માંડીને શરદ પૂર્ણિમા સુધી 15થી 20 મિનિટ સુધી ત્રાકટ કરો. આમ કરવાથી આંખોનું તેજ વધે છે અને વશીકરણ શક્તિ પ્રાપ્ત થાય છે.
- દશેરાની રાતથી પૂર્ણિમા સુધી ચંદ્રના કિરણો અમૃત સમાન હોય છે અને આ જ દરમિયાન આ વિશેષ ઉપાય વ્યકિતને અદ્બૂત આંતરિક શક્તિ આપે છે. તે કોઇની પાસે પણ પોતાની વાત મનાવી શકે છે. આ વ્યકિતને કોઇ કામમાં અસફળતા મળતી નથી અને બધી જ મનોકામના પૂરી થાય છે.