ગુરૂવારનો દિવસ દેવગુરૂ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે અમુક ઉપાયો કરવાથી જીવનના દરેક કષ્ટો દૂર કરી શકાય છે.
ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત
આ દિવસે કરો ફક્ત આટલું જ કામ
જાણો તેનાથી શું થશે લાભ
ગરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસના સ્વામી બૃહસ્પતિ છે. આ દિવસને ધન, સમૃદ્ધિ, એશ્વર્ય, જ્ઞાન અને સંતાનનો કારક માનવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો વ્રત કરે છે. વિધિ-વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. આ દિવસે તમે ઘણા પ્રકારના ઉપાય પણ કરી શકો છો. તેનાથી આર્થિક સ્થિતિમાં સુધાર થાય છે.
કરિયરમાં સફળતા મળશે. કોઈ પણ કાર્ય કરવામાં મુશ્કેલીઓ આવી રહી હોય તો તમે આ ઉપયો કરી શકો છો. આ મુશ્કેલીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. લગ્નમાં આવી રહેલી મુશ્કેલીઓને દૂર કરવા માટે તમે આ દિવસે ઘણા પ્રકારના ઉપાયો કરી શકો છો. આવો જાણીએ કયા...
ગુરૂવારના દિવસે કરો આ કામ
આ દિવસે પીળા રંગનો ઉપયોગ વધારે કરો. આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરો. પાળા ફળો અને મિઠાઈનું સેવન કરો.
આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્નાન કર્યા બાદ "ઓમ બૃં બૃહસ્પતયે નમઃ" મંત્રનો જાપ કરો. તેનાથી આર્થિક સ્થિતિમાં સુધાર થાય છે.
આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા એક સાથે કરો. વૃહસ્પતિવારએ વ્રત કથા અથવા પાઠ કરો. તેનાથી દાંપત્ય જીવન સુખમય થઈ જાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
ગુરૂવારે ગાયને લોટ ખવડાવો. લોટમાં ચણાની દાળ, ગોળ અને હળદળ મિક્ષ કરીને ખવડાવો. આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્નાન કરવાના પાણીમાં એક ચમચી હળદળ નાખીને સ્નાન કરો.
આ દિવસે જરૂરીયાતમંદ વ્યક્તિને દાળ, કાળા અને પીળા કપડાનું દાન કરો. ગુરૂવારે કોઈની પાસેથી ઉધાર ન લો. આમ કરવાથી તમારી કુંડળીમાં ગુરૂની સ્થિત કમજોર થઈ જાય છે. આ કારણે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.
ગુરૂવારના દિવસે પૂજા કર્યા બાદ પોતાની હથેળી અને ગળા પર હળદળનો ચાંદલો કરો. આમ કરવાથી કુંડળીમાં ગુરૂ ગ્રહ મજબૂત બને છે. તેનાથી દરેક કાર્યમાં વ્યક્તિને સફળતા મળે છે.
ગુરૂવારના દિવસે કેળાના વૃક્ષને જળ અર્પિત કરો. તેની સામે દેસી ધીનો દિવો કરો. ગુરૂના 108 નામોનું ઉચ્ચારણ કરો. તેનાથી લગ્નમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થશે.
ગુરૂવારના દિવસે પૂજામાં હળદળની માળા લગાવો. કાર્યસ્થળ પર પીળા રંગની વસ્તુઓનો ઉપયોગ કરો. ભગવાન લક્ષ્મી અને નારાયણને લાડવાનો ભોગ લગાવો. તેનાથી વ્યવસાયમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થશે.