દસ દિવસીય ગણેશોત્સવનો આવતીકાલથી એટલે કે 2 સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ પૂજ્ય ગણપતિ બાપ્પાની પૂજા-અર્ચના સદેવ શુભ ફળદાયી છે. પણ આ દસ દિવસોમાં કરવામાં આવેલ પૂજન અત્યાધિક પુણ્યદાયી હોય છે.
વર્ષભરમાં પડનારી ચતુર્થીઓમાં આ દિવસે ઉજવાતી ચતુર્થીને સૌથી મોટી ચતુર્થી માનવામાં આવે છે. ગણપતિજીના પૂજન અને ઉપાસના કરવાથી ઘરમાં સમ્પન્નતા, સમૃદ્ધિ, સૌભાગ્ય અને ધનનો સમાવેશ થાય છે. પણ શાસ્ત્રોમાં આજની ચતુર્થીના દિવસે કરવામાં આવેલ વ્રત અને પૂજનનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યુ છે. તો આવો જાણીએ ગણેશચતુર્થી શરૂ થાય ત્યારે પૂજાની સાથે કયા કામ અચૂક કરી લેવા જોઈએ. જેથી ગણેશજી તમારી પર આખું વર્ષ પ્રસન્ન રહે.
ગણેશજીની પૂજા કરતી સમયે એક કાચો દોરો લો. તેની પર સાત ગાંઠ મારીને બાપ્પાના ચરણોમાં મૂકી દો. વિસર્જન પહેલાં એ દોરાને તમારા પર્સમાં મૂકો. તેનાથી ક્યારેય ધન-ધાન્ય કે ભંડારમાં કોઈ કમી નહી આવે.
પૂજાની સોપારી પૂર્ણ અને અખંડિત હોય છે. તેથી તેને પૂજા સમયે ગૌરી ગણેશનુ રૂપ માનીને તેના પર જનોઈ ચઢાવવામાં આવે છે. પછી એ પૂજાની સોપારીને તિજોરીમાં મુકવી જોઈએ. તેનાથી ઘરમાં લક્ષ્મીનો સ્થાયી નિવાસ રહે છે.
ગણેશ ચતુર્થીના દિવસે જમણી બાજુ વળેલી સૂંઢવાળા ગણેશજીના ચિત્રની લવિંગ અને સોપારીથી પૂજા કરો. કોઈ સારા કામ પર જાઓ ત્યારે તે સોપારી અને લવિંગને તમારી સાથે રાખો. અને કામ પતાવીને આવ્યા બાદ તેને ગણેશજીના ચરણોમાં મૂકી દો. તમારું કામ સફળ થશે.
એક પાનના પત્તા પર સિંદુરમાં ઘી મિક્સ કરીને કે કુમકુમથી રંગાયેલા ચોખાથી સ્વસ્તિક બનાવો. હવે તેના પર લાલ નાડાછડીમાં એક સોપારી લપેટીને મુકો. આ શ્રીગણેશનુ સ્વરૂપ માનવામાં આવે છે. આ સોપારીની પૂજા સારી રીતે કરશો તો મંગળ જ મંગળ થશે.
ઘરમાં સકારાત્મકતા લાવવા સુખ શાંતિ માટે ગણેશ પૂજાના સ્થાન પર એક સોપારી અને એક તાંબાના લોટામાં ગંગાજળ ભરીને દક્ષિણ દિશામાં મુકી દો.
શમીના પાન શનિદેવના પ્રિય પાન છે. ભગવાન શ્રીગણેશને શમીના પાનના ભોગ લગાવવાથી તમારા ઘરમાં ધનની કમી નહી થશે.