ભારતીયજ્યોતિષ શાસ્ત્ર અનુસાર 4 નવરાત્રી હોય છે જેમાં બે સામાન્ય નવરાત્રી તો આપણે ઉજવીએ છીએ જયારે બે ગુપ્ત નવરાત્રી હોય છે, તો ચાલો જાણીએ આ ગુપ્ત નવરાત્રીના મહત્વને અને પૂજા અર્ચના વિશે
ગુપ્ત નવરાત્રીનું ભારતીય પંચાગમાં મહત્વ
માં શક્તિની ઉપાસના કરવામાં આવે છે
વિશેષ મંત્રોના જાપથી મળશે તમામ સિદ્ધિ
નવરાત્રીનું ખાસ મહત્વ
હિન્દુ ધર્મમાં નવરાત્રીનું એક ખાસ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષમાં કુલ ચાર નવરાત્રી હોય છે. જેમાં બે સામાન્ય અને બે ગુપ્ત નવરાત્રી હોય છે. ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાઓ મા કાલી, તારા દેવી, ત્રિપુર સુંદરી, ભુવનેશ્વરી, માતા છિન્નમસ્તા, ત્રિપુર ભૈરવી, મા ધ્રુમાવતી, મા બંગલામુખી, માતંગી અને કમલા દેવીની પૂજા કરવામાં આવે છે. પંચાગ મુજબ અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી 30 જૂન 2022થી શરૂ થઈ રહી છે અને 9 જુલાઈ 2022ના રોજ પૂર્ણ થશે.
આ મંત્રોનો જાપ કરો
પૌરાણિક કાળથી જ લોકોની આસ્થા ગુપ્ત નવરાત્રિમાં રહી છે. ગુપ્ત નવરાત્રિમાં શક્તિની પૂજા કરવામાં આવે છે, જેથી જીવન તણાવમુક્ત રહે. એવી માન્યતા છે કે આ સમય દરમિયાન માતા શક્તિના વિશેષ મંત્રોનો જાપ કરવાથી કોઈ પણ સમસ્યાથી મુક્તિ મળી શકે છે અથવા તો કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. સિદ્ધિ માટે ॐ एं ह्रीं क्लीं चामुण्डायै विच्चै, ॐ क्लीं सर्वाबाधा विनिर्मुक्तो धन्य धान्य सुतान्यवितं, मनुष्यों मत प्रसादेंन भविष्यति न संचयः क्लीं ॐ, ॐ श्रीं ह्रीं हसौ: हूं फट नीलसरस्वत्ये स्वाहा વગેરે મંત્રોનું જપ કરવું જોઈએ.
ગુપ્ત નવરાત્રી પૂજા વિધિ
ગુપ્ત નવરાત્રિ દરમિયાન ઘટ સ્થાપન એવી જ રીતે કરવામાં આવે છે જેવી ચૈત્ર અને શારદીય નવરાત્રિમાં હોય છે. આ નવ દિવસોમાં સવાર-સાંજ માં દુર્ગાની પૂજા થાય છે અને સાથે જ લવિંગ અને પતાસાનો પ્રસાદ ધરવામા આવે છે. સાથે જ માતાને શ્રુંગાર અર્પિત કરો. આ સમય દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ પણ અવશ્ય કરો.