આજે એટલે કે 5 એપ્રિલે દરેક દેશવાસીઓ PM મોદીની અપીલથી રાતે 9 વાગે 9 મિનિટે પોતાના ઘરની લાઈટો બંધ કરશે અને દીવા, મીણબત્તી, ટોર્ચ કે મોબાઈલ ફ્લેશ ચાલુ કરીને પ્રકાશ પાથરશે. PM મોદીએ કહ્યું છે કે કોરોનાના અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું છે. માટે આ પ્રકાશ કરવાનો છે. જ્યોતિષ વિશેષજ્ઞ હેમેન્દ્ર ભાઈ મિસ્ત્રી કહે છે કે આ સમયે જો તમે ઘીના દીવામાં કેટલીક ખાસ વસ્તુઓ મિક્સ કરી લો છો તો જીવાણુનો ઝડપથી નાશ થાય છે. કોરોના વાયરસ મુખ્યત્વે પ્રોટીનનો બનેલો છે. માટે ઘીનો દીવો વધુ લાભદાયી રહે છે.
9 વાગે 9 મિનિટે કરો આ કામ
દીવો, ટોર્ચ, મીણબત્તી, ફ્લેશ લાઈટનો કરો પ્રકાશ
ઘરની લાઈટો કરી દો બંધ, પીએમ મોદીની અપીલ
ઘીના દીવામાં મિક્સ કરો આમાંથી કોઈ પણ 1 વસ્તુ
કપૂરનો ભૂકો
લીમડાના પાન
ગૂગળ
લોબાન
જાવંત્રી
ઉપરની તમામ ચીજોથી જીવાણુ, વાયરસ કે નકારાત્મક ચીજો દૂર ભાગે છે. તો જો દીવામાં કોઈ પણ વસ્તુ મિક્સ કરશો તો લાભદાયી પૂરવાર થશે.
PM મોદીએ શા માટે પસંદ કર્યો આ સમય અને આ દિવસ
આપણે સૌ જાણીએ છીએ કે PM સમય અને તારીખ તથા તિથિના પાક્કા છે. વિજય મૂહુર્તમાં માનનારા PM મોદીએ તેની પાછળનું ખાસ ગણિત પણ વિચાર્યુ છે.
5 તારીખ અને 4થો મહિનો એટલે 9નો આંક
9 વાગે
9 મિનિટ માટે
9નો અંક મંગળનો અંક છે.
મંગળ લાઈટ, અગ્નિ સાથે સંકળાયેલો છે.
આ કારણે પીએમ મોદીએ લાઈટ બંધ કરીને દીવા (અગ્નિ) ફેલાવવાનું કીધું છે.