ખાસ શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી શનિદેવને પ્રસન્ન કરી શકાય છે.
આ શનિવારે આ 5 રાશિના લોકોએ ખાસ કાળજી લેવી
આ કામ કરવાથી નારાજ થાય છે શનિદેવ
શનિવારે કરો આ ઉપાય
આપણા હિંદુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે અને કહેવાય છે કે શનિવાર શનિદેવને સમર્પિત છે. ખાસ શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી શનિદેવને પ્રસન્ન કરી શકાય છે. માન્યતાઓ અનુસાર જ્યારે પણ શનિદેવ પ્રસન્ન થાય છે ત્યારે તે તેના ભક્તોને ધનવાન બનાવી દે છે. પણ જ્યારે શનિદેવ ગુસ્સે થાય છે ત્યારે એમની ક્રૂર દ્રષ્ટિ મનુષ્યનો નાશ કરે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં શનિદેવની કૃપા બની રહે અને આ માટે જ્યોતિષમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે.ચાલો જોઈએ..
આ શનિવારે આ 5 રાશિના લોકોએ ખાસ કાળજી લેવી
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ શનિવારે ધનુ, મકર અને કુંભ રાશિના લોકો શનિ સાડા સાતીમાંથી પસાર થઈ રહી છે તો બીજી તરફ મિથુન અને તુલા રાશિના જાતકોને પરેશાની ભોગવવી પડી શકે છે. આવી સ્થિતિમાં આ 5 રાશિના લોકોએ દર શનિવારે શનિદેવની વિશેષ પૂજા કરવી જોઈએ, આ સિવાય જે મનયુષ્યની કુંડળીમાં નબળા શનિની અશુભ અસર છે તેને ઓછી કરવા માટે શનિવારે શનિદેવની પૂજા કરવી જોઈએ.
આ કામ કરવાથી નારાજ થાય છે શનિદેવ
- એવી માન્યતા છે કે કોઈપણ નબળા કે અશક્ત વ્યક્તિને હેરાન કરવાથી શનિદેવ ગુસ્સે થઈ જાય છે.
- જે લોકો બીજાના પૈસા પર ખરાબ નજર નાખે છે કે અને તેમના પૈસા હડપ કરે છે તેને શનિ ક્યારેય માફ કરતા નથી.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પ્રકૃતિને નુકસાન પહોંચાડનારાઓને શનિદેવ ગુસ્સે થાય છે
- અન્ય લોકોને છેતરવા પર શનિદેવના ગુસ્સાનો શિકાર બનવું પડી શકે છે.
શનિવારે કરો આ ઉપાય
જ્યોતિષ શાસ્ત્રમાં શનિના પ્રભાવને શાંત કરવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે શનિને ન્યાય-પ્રેમી દેવતા કહેવામાં આવે છે અને આવી રીતે સત્યના માર્ગે ચાલનારા લોકોને શનિદેવના વિશેષ આશીર્વાદ મળે છે. જો કોઈ વ્યક્તિ શનિની છાયામાં હોય તો તે પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરીને શનિદેવને ફરી ખુશ કરવાનો પ્રયાસ કરી શકે છે.
- શનિવારના દિવસે ओम शं शनिश्र्चराय नमः મંત્રનો જાપ કરો.
- શનિવારે શનિ ચાલીસાનો પાઠ કરવો વિશેષ ફળદાયી છે.
- શનિદેવની કૃપા મેળવવા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એ શનિવારના દિવસે કાળો ધાબળો દાન કરવાથી અશુભ શનિને પણ શુભ ફળ મળવા લાગે છે. જો કે શનિવાર સાંજ પછી કાળો ધાબળો દાન કરવું શુભ માનવામાં આવે છે.