એવી માન્યતા છે કે જો એ દિવસે વિધિપૂર્વક તમે હનુમાનજીની પૂજા કરશો તો જીવનમાં આવેલ દરેક સમસ્યા દૂર થઈ જશે અને જીવન મંગલમય બની જશે.
મજબૂત મંગળને કારણે વ્યક્તિના સાહસ અને પરાક્રમમાં ઘણી વૃધ્ધિ થાય છે.
મંગળવારે જો તમે હનુમાનજીની યોગ્ય રીતે પૂજા કરો છો તો સંકટ દૂર થાય છે.
મંગળવારના દિવસે ગોળ અને તલને રેવડીઓનું દાન કરો.
આપણાં હિન્દુ શાસ્ત્ર મુજબ દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત હોય છે. એવી જ રીતે મંગળવાર હનુમાનજીને સમર્પિત છે એવું કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે જો એ દિવસે વિધિપૂર્વક તમે હનુમાનજીની પૂજા કરશો તો જીવનમાં આવેલ દરેક સમસ્યા દૂર થઈ જશે અને જીવન મંગલમય બની જશે. જ્યોતિષશક્ષત્ર અનુસાર મંગળવારના દિવસે જો થોડા ખાસ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિની કુંડળીમાં મંગળ મજબૂત થઈ જશે. મજબૂત મંગળને કારણે વ્યક્તિના સાહસ અને પરાક્રમમાં ઘણી વૃધ્ધિ થાય છે.
માનવામાં આવે છે કે વ્યક્તિના જીવનમાં મંગળ મજબૂત હોવઅને કારણે કોઈ પણ કાર્યોમાં સંકટ આવતા નથી અને ક્યાંય પણ કામ અટકતા નથી. જીવનમાં ઘણી સફળતા મળે છે. આજે બજરંગબલીને ખુશ કરવા માટે મંગળવારે સવારે આ ઉપાયો કરવા જોઈએ. કહેવાય છે કે કળિયુગમાં હનુમાનજી જ સ્થાયી ભગવાન છે. તેમની નિરંતર ભક્તિ કરવાથી અનેક કષ્ટમાંથી મુક્તિ મળે છે. જ્યારે તમારા પર હનુમાનજીની કૃપા વરસવાની શરૂ થાય છે ત્યારે કોઈ તમારો વાળ પણ વાંકો કરી શકતું નથી. 10 દિશા અને ચારેય યુગમાં તેમનો પ્રતાપ છે. મંગળવારે જો તમે હનુમાનજીની યોગ્ય રીતે પૂજા કરો છો તો તમારા તમામ ભય અને સંકટ દૂર થાય છે.
મંગળવારે કરી લો આ ઉપાય
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાચા મનથી અને પૂરી શ્રધ્ધાથી જો તમે મંગળવારે હનુમાજીની ઉપાસના કરો તો દરેક દુખનો નાશ થાય છે. લાલ કિતાબના ઉપાય અનુસાર લાલ ફૂલ, લાલ ફળ, લાલ ચંદન, લાલ રંગ અને કપડાં હનુમાનજીને અર્પિત કરો. એવું કરવાથી વ્યક્તિની દરેક ઈચ્છા પૂર્ણ થશે.
મંગળવારના દિવસે કોઈ પણ હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાનજીને સિંદુર, કેવડાનું ઈતર, ગોળ, ચમેલીનું તેલ, નારિયળ, પાન અને ચણા વગેરે અર્પિત કરવાથી દરેક સંકતો દૂર થઈ જશે.
લાલ કિતાબ અનુસાર જો તમે તમારી કુંડળીમાં મંગલને મજબૂત કરવા માંગો છો તો મંગળવારના દિવસે ગોળ અને તલને રેવડીઓનું દાન કરો.
જો આર્થિક સંકટમાંથી છુટકારો મેળવવા માંગો છો તો 5 મંગળવાર સુધી હનુમાનજીના મંદિરમાં ધજા ચઢાવો.