16મી ડિસેમ્બર 2022, શુક્રવારના રોજ ગ્રહોનો રાજા સૂર્ય ધન રાશિમાં ગોચર કરશે. જેને ધન સંક્રાંતિ કહેવામાં આવે છે. ધન સંક્રાંતિના દિવસે કરવામાં આવેલ ઉપાયો તાત્કાલિક અસર દર્શાવે છે અને ઘણો ફાયદો આપે છે.
16 ડિસેમ્બરમાં ધન રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય
સૂર્ય સંક્રાંતિને ધન સંક્રાંતિ પણ કહે છે
આ દિવસે કરો આ ખાસ ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલી નાખે છે. સૂર્યનું ગોચર સંક્રાંતિ કહેવાય છે. 16 ડિસેમ્બર 2022ના રોજ સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે. આ સૂર્ય સંક્રાંતિને ધન સંક્રાંતિ કહેવામાં આવે છે.
14 જાન્યુઆરી 2023ની રાત્રે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ્યા બાદ 15 જાન્યુઆરી, 2023ના રોજ મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવશે અને તેની સાથે જ શુભ કાર્યોની પણ શરૂઆત થશે. સૂર્ય ધન રાશિમાં હોય ત્યારે આવતા કમૂર્તા દરમિયાન શુભ કાર્યો નથી કરવામાં આવતા. પરંતુ કેટલાક ઉપાય કરવા માટે ધન સંક્રાંતિનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ધન સંક્રાંતિના આ ઉપાયોથી દૂર થશે દરેક સમસ્યા
ધન સંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો અને દાન જરૂર કરો. આ દિવસે ગરીબોને ભોજન કરાવવાથી, અન્ન અને વસ્ત્રોનું દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.
ધન સંક્રાંતિના દિવસે સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો અને તેની પૂજા કરો. આ સિવાય આ દિવસે ભગવાન શિવને ગંગાજળથી અભિષેક કરો. મહામૃત્યુંજય મંત્રનો પણ પાઠ કરો. તેનાથી અનહોનીથી બચી શકાય છે અને સંકટ ટળી જાય છે.
ધન સંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો, તેમને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરો. જેના કારણે સુતેલું ભાગ્ય પણ જાગી જશે અને માતા લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરશે. અને ખૂબ જ પ્રસિદ્ધિ મળશે.
ધન સંક્રાંતિના દિવસે મીઠું ન ખાવું. જો શક્ય હોય તો આ દિવસે ઉપવાસ કરો. પિતૃઓના આશીર્વાદ મેળવવા તર્પણ કરો, તમારું જીવન સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે.
ધન સંક્રાંતિના દિવસે ગાયત્રી મંત્રનો યથાશક્તિ જાપ કરો. જો શક્ય હોય તો ગાયત્રી મંત્રની ટૂંકી વિધિ કરો એટલે કે મંત્રનો 24 હજાર વખત જાપ કરો. ગાયત્રી મંત્રમાં ઘણી શક્તિ છે, તે તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે.