નાભિ શરીરનું કેન્દ્રબિંદુ હોય છે. રોજ રાત્રે સુતા પહેલા જો તમે માત્ર બે બુંદ તેલ નાભિમાં નાંખો તો ઘણા આશ્વર્યજનક પરિણામો મળી શકે છે. તે ત્વચા, પ્રજનન, આંખો અને મગજ માટે અત્યંત ઉપયોગી છે. જાણો નાભિમાં કયુ તેલ નાખવાથી કયા ફાયદા મળે છે.
નાભિમાં રોજ તેલ લગાવવાથી ફાટેલા હોઠ નરમ અને ગુલાબી થઇ જાય છે.
નાભિમાં તેલ લગાવવાથી આંખોની બળતરા, ખંજવાળ અને ડ્રાયનેસ ખતમ થઇ જાય છે.
નાભિમાં તેલ લગાવવાથી શરીરના કોઇ પણ ભાગમાં સોજો આવ્યો હોય તો તેમાં સારુ થાય છે.
સરસવનું તેન નાભિ પર લગાવવાથી ઘુંટણના દુખાવામાં રાહત મળે છે.
નાભિમાં સરસિયાનું તેલ લગાવવાથી ચહેરાની રંગત વધી જાય છે, તેથી રોજ નાભિ પર સરસવનું તેલ લગાવવું જોઇએ.
નાભિમાં સરસવનું તેલ લગાવવાથી પિંપલ્સ અને દાગ ધબ્બા ઠીક થાય છે.
નાભિ પર સરસવનું તેલ લગાવવાથી પાચન તંત્ર મજબુત થાય છે.
બદામનું તેલ લગાવવાથી પણ ચહેરો નિખરે છે.
નાભિમાં તેલ લગાવવાથી પેટમાં દુખાવો થતો હોય તો તેમા રાહત મળે છે.
અપચો, ફુડ પોઇઝનિંગ, કબજિયાત, ઉલટી જેવી સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે.
જો તમે ખીલની સમસ્યાથી પરેશાન હો તો લીમડાનું તેલ નાભિમાં નાંખવુ જોઇએ. તેનાથી તમારી ખીલ અને ફોડલીની સમસ્યા દુર થશે.
નાભિ પ્રજનન તંત્ર સાથે જોડાયેલી હોય છે. તેમાં તેલ લગાવવાથી પ્રજનન ક્ષમતા વિકસે છે.
કોકોનટ કે ઓલિવ ઓઇલને નાભિમાં લગાવવાથી મહિલાઓના હોર્મોન સંતુલિત રહે છે અને ગર્ભાધારણની સમસ્યા વધી જાય છે.
નાભિમાં તેલ લગાવવાથી પુરુષોના શરીરમાં શુક્રાણુઓની સંખ્યા વધે છે.
આજકાલ દર બીજી-ત્રીજી મહિલાને માસિકની સમસ્યા હોય છે. જો પીરિયડ્સ દરમિયાન વધુ દુખાવો થતો હોય તો રુના પુમડામાં થોડી બ્રાંડી લગાવીને નાભિમાં લગાવવાથી આ દુખાવામાં રાહત મળે છે.
નાભિની નિયમિત સાફસફાઇ પણ ખુબ જરુરી છે. આ માટે કુસુમ, જોજોબા, ગ્રેપ્સ સીડ કે અન્ય કોઇ હળવા તેલને રૂમાં લઇને નાભિમાં લગાવો અને ધીમે ધીમે મેલ સાફ કરો.
નાભિમાં રહેલા મેલના કારણે બેક્ટેરિયા અને ફંગસ થઇ શકે છે. તેના કારણે કોઇ પણ ઇંફેક્શન વધે છે. આવા સંજોગોમાં જરુરી છે કે તમે સંક્રમણને દુર કરી શકે તેવા અસરદાર તેલનો પ્રયોગ કરીને નાભિને નરમ બનાવી રાખો. આ તેલમાં ટી ટ્રી ઓઇલ અને મસ્ટર્ડ ઓઇલ સૌથી અસરકારક છે.