અમાસનું પણ એક ખાસ મહત્વ છે. જ્યારે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં સાથે થઈ જાય છે ત્યારે અમાસ આવે છે. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ કહીએ તો સૂર્ય એ આત્માનો કારક છે. જ્યારે ચંદ્ર એ મનનો કારક છે. અમાસના દિવસે આત્મા અને મનના કારકોનું મિલન માનજીવન પર ચોકક્સ પ્રભાવ પાડે છે. અમાસ દિવસે કોઈ પણ કુટેવને પોષતા તેનું જીવન જ નહિં પણ ભાગ્ય પર વિપરિત પરિણામ મળે છે. આ રાત્રિએ આકાશમાં અઁધકાર હોવાથી નકારાત્મક શક્તિઓ પોતાના ચરમ પર હોય છે. તેથી જ કુટેવનો માનવીના જીવન પર દુષ્પ્રભાવ પડે છે. જો સુખી થવું હોય તો અમાસની રાત્રિએ આટલું ન કરશો.
– કોઈ પણ રીતની મનોકામનાની પૂર્તિ માટે સમી સાંજે કે રાત્રિએ ઘીનો દીવો કરો.
– તામસિક વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઇએ કારણ કે અમાસના દિવસે શરાબ પીવાથી શરીર પર જ નહી ભવિષ્ય પર પણ દુષ્પ્રભાવ પડે છે.
– અમાસના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને ચમેલીનું તેલ મિક્સ કરી સિંદૂર અર્પિત કરો અને સુંદરકાંદનો પાઠ કરો. આ ઉપાય કરવાથી ખરાબ ગ્રહોનો પ્રભાવ દૂર થાય છે અને ઘરમાં સૌભાગ્ય અને ધનની વૃદ્ધિ થાય છે.
– પુરાણો મુજબ અમાસની તિથિએ દેવ પિતૃ તિથિ ગણાય છે. તેથી આ દિવસે સહવાસ ના માણવું જોઇએ.