જીવનની બધી સમસ્યાથી છુટકારો મેળવવો હોય તો શનિવારનો દિવસ ખુબ જ ખાસ છે. આ દિવસ શની દેવને સમર્પિત છે અને શનિદેવની કૃપાથી બધા દુખ-દર્દ અને સમસ્યા પૂરી થઇ જાય છે.
પૈસાની તંગી હોય, નોકરી-વેપારમાં અડચણો આવતી હોય તો શનિવારના આ ઉપાય કરો
શનિદેવની કૃપા મેળવવા માટે આજનો દિવસ એટલે કે શનિવારનો દિવસ ઉત્તમ માનવામાં આવે
શનિવારે શનિદેવની પૂજા કરવાથી દરેક કષ્ટોમાંથી મુક્તિ મળે છે.
શનિની ખરાબ નજર જીવનને બરબાદ કરી નાખે છે અને શનિદેવની કૃપાથી જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. એટલા માટે જ શનીદેવની કૃપા મેળવવા માટે લોકો અલગ અલગ તરીકા અજમાવે છે. જો કે શનિદેવની કૃપા મેળવવા માટે આજનો દિવસ એટલે કે શનિવારનો દિવસ ઉત્તમ માનવામાં આવ્યો છે. જે લોકો શનિની મહાદશાના શિકાર બન્યા હોય કે શનીદોષ ગ્રસ્ત હોયએ લોકો એ પણ શનિવારે શનિદેવની પૂજા કરવાથી દરેક કષ્ટોમાંથી મુક્તિ મળે છે.
શનિવારની રાત્રે કરી લો આ ઉપાય-
પૈસાની તંગી હોય, નોકરી-વેપારમાં અડચણો આવતી હોય કે સ્વાસ્થ્ય સબંધિત કોઈ સમસ્યા હોય તો શનિવારના આ ઉપાય ઘણા કારગર છે.
- શનિવારની સાંજે શની મંદિરમાં જઈને સરસવના તેલનો દીવો પ્રગટાવો. સાથે જ તેલમાં થોડા કાળા તલ નાખી દો. બસ આટલું કામ કરવાથી શનિદેવ પ્રસન્ન થઇ જશે.
- શનિવારે સુર્યાસ્ત પછી પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરવાથી દરેક કષ્ટ અને બાધાઓ દુર થશે. આ ઉપાય ખુબ જ પ્રભાવશાળી છે. થોડા શનિવાર માટે લગાતાર આ ઉપાય કરવાથી દરેક મુસીબતોને દૂર જતા તમે જોઈ શકશો.
- શનિદેવને લોબાન ખુબ જ પ્રિય છે. શનિવારની રાત્રે ઘરમાં લોબાન પ્રગટાવવાથી ઘરમાંથી દરેક નકારત્મક ઉર્જા બહાર ચાલી જશે અને સાથે જ ઘરમાં રહેલ અશાંતિનો પણ વિનાશ થશે. ઘરમાં રહેતા દરેક સદસ્યોના પ્રગતિના દ્વાર ખુલી જશે અને આવકમાં પણ ઘણો વધારો થશે.
- કુતરાઓની સેવા કરવાથી પણ શનિદેવ ઘણા પ્રસન્ન થાય છે. ખાસ કરીને શનિવારે કાળા કુતરાને સરસવના તેલ વાળી રોટલી આપવાથી કુંડલીમાં રહેલ સાડા સાતીનો નાશ થશે અને રાહુ-કેતુના દોષનો પણ અંત આવશે.
- શનિવારની સાંજે ऊं शं शनैश्चराय नम: મંત્રનો જાપ કરવાથી ઘણા ફાયદા થાય છે.