શાસ્ત્રોમાં દેવ વિશેષની પ્રસન્નતા કે ગ્રહશાંતિ માટે વિશેષ દિવસ બતાવ્યા છે. શાસ્ત્રો પ્રમાણે શિવના તપથી જ શનિ સશક્ત અને નવગ્રહમાં સર્વોપરી પ્રતિષ્ઠિત થયા. આ કારણે જ શનિવારે શિવ કે તેમના અવતારોની ભક્તિ શનિદોષથી જીવનમાં આવતી શારીરિક માનસિક અને આર્થિક સંકટને પણ દૂર કરી દે છે.
આ કારણે જ હનુમાનની મંગળવાર અને શનિવારે પણ ઉપાસના સંકટહરણ માનવામાં આવી છે. વિશેષ કરીને પારાના બનેલા હનુમાનની મૂર્તિની પૂજા અને તેમની સામે હનુમાન મંત્ર જાપ સુખ-શાંતિની સાથે આર્થિક સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે. કારણ કે પારાની ધાતુને પણ શિવનો અંશ માનવામાં આવે છે. એટલા માટે પારાથી બનેલ શિવ પરિવાર અને અવતારોની મૂર્તિ પૂજા વૈભવ સમૃદ્ધિ અને ઐશ્વર્ય આપનારી માનવામાં આવી છે.
હિન્દુ ધર્મમાં દેવ ઉપાસનાથી શક્તિ સંયમ અને ઊર્જા પ્રાપ્ત કરવા માટે રુદ્રાવતાર શ્રીહનુમાનનું સ્મરણ કરવામાં આવે છે. શ્રીહનુમાન ચરિત્ર મજબૂત ઈરાદા અને સંકલ્પ શક્તિથી સફળતાનો સંદેશો આપે છે. એટલા માટે જ શનિવારે અને મંગળવાર સિવાય સંયમ અને સાધનાના કાળમાં કોઈપણ રૂપમાં શ્રીહનુમાનનું સ્મરણ સફળતાની ઈચ્છા રાખનારા દરેક માણસ માટે ખૂબ જ શુભ છે.
જિંદગીમાં કોઈપણ સંકલ્પને સાધવો એટલો આસાન નથી હોતો. સંકલ્પને પૂરા કરવામાં આવતી મુશ્કેલીઓ ઘણીવાર મન અને ઈચ્છાશક્તિને ડામાડોળ પણ કરે છે. એવા સમયે મન અને ઈચ્છાઓ ઉપર કાબૂ કરી મજબૂત ઈરાદાની સાથે જ કોઈપણ લક્ષ્યને ભેદવું શક્ય બને છે. મન અને વિચારોમાં સંતુલન અને ઊર્જા બનાવી રાખવા માટે ધાર્મિક દ્રષ્ટિએ ઈશ્વરમાં આસ્થા અને ધ્યાન સૌથી સારો ઉપાય માનવામાં આવ્યો છે.
હનુમાનજીને પ્રસન્ન કરવા ખાસ મંગળવારે તેમની ઉપાસના કરવામાં આવે છે અને પૂનમના દિવસે જ હનુમાનજીનો જન્મ થયો હતો તેથી પૂનમના દિવસે ખાસ હનુમાનના મંત્રોથી તેમને પ્રસન્ન કરી શકાય છે. રુદ્રાઅવતાર હનુમાનજીના કેટલાક નાના-નાના પણ ચમત્કારી મંત્ર જેના સ્મરણમાત્રથી દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ જાય છે..
શ્રીહનુમાન ઉપાસનાથી કોઈપણ મનોકામના સિદ્ધિ માટે સ્નાન કર્યા પછી પવિત્ર વસ્ત્ર અને મનોભાવોની સાથે સિંદૂર લાલ ફૂલ ગોળથી બનેલ મિઠાઈ કે ગોળ-ચણાનો ભોગ લગાવો. લાલ આસન ઉપર બેસીને ગુંગળ ધૂપ અને દીપ પ્રગટાવી પોતાની ઈચ્છા પ્રમાણે અહીં બતાવેલ મંત્રોનું સ્મરણ રુદ્રાક્ષની માળાથી 108 વાર કે યથાશક્તિ કરો.
ऊँ महावीराय नम: - બળ ઊર્જા અને શક્તિ ऊँ दृढव्रताय नम: - મજબૂત સંકલ્પ શક્તિ ऊँ योगिने नम: - માનસિક એકાગ્રતા બળ અને સંયમ
ऊँ सर्वग्रह विनाशिने नम: - સર્વ ગ્રહદોષ શાંતિ
ऊँ शूराय नम: - સાહક અને આત્મબળ
ऊँ सर्वरोगहराय नम: - બધા રોગોથી મુક્તિ
ऊँ शान्ताय नम: - શાંતિ અને સુખ અને બધા કલેશથી મુક્તિ
ऊँ चिरंजीविने नम: - લાંબુ અને સ્વસ્થ જીવન
ऊँ रामदूताय नम: - દેવકૃપા અને ભક્તિ
ऊँ प्रसन्नात्मने नम: - પ્રસન્નતા અને સુખ
ऊँ श्रीमते नम: - સમૃદ્ધિ વૈભવ અને ઐશ્વર્ય
આ ઉપરાંત મંગળવાર શનિવાર કે પૂનમના રોજ શ્રીહનુમાનની પારદની બનેલી મૂર્તિની પૂજા તન અને મનથી સંયમ અને પવિત્રતાની સાથે કરો. સ્નાન પછી સ્વચ્છ વસ્ત્ર પહેરી એક ચોકી ઉપર લાલ કપડું પાથરી શ્રીહનુમાનની પારદ મૂર્તિને વિરાજિત કરો.
શ્રીહનુમાનની પૂજામાં લાલ પૂજા સામગ્રીઓનું ધ્યાન રાખો શ્રીહનુમાનનું સ્મરણ કરતા સિંદૂર સિવાય લાલ ચંદન લાલ ગંધ લાલ ચોખા લાલ ફૂલ લાલ વસ્ત્ર જનેઉ ભોગમાં લાલ રંગના ફળ કે લાલ અન્ન અને પદાર્થો જેવા કે અનાર ઘઉં ગોળથી બનેલ ભોગ અર્પિત કરો.