9 માર્ચના રોજ હોળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ સમયે આપણે સૌ સાંજે હોળિકા દહનમાં સામેલ થઈએ છીએ. હોળીની પૂજામાં ધાણી, ખજૂર, હળદર, નારિયેળ, પાણી સાથેની પરિક્રમા કરવાનો રિવાજ પણ છે. આ દરેક સાથે ખાસ વાતો સંકળાયેલી છે. તમે જ્યારે હોળીની આગની આસપાસ પરિક્રમા કરો છો ત્યારે તે તમારા શરીરના રોગને નષ્ટ કરે છે. આ સાથે તમે તેમાં જે ચીજ પધરાવો છો તે તમારા સુખ અને સમૃદ્ધિમાં પણ વધારો કરે છે.
હોળીકા દહનનું છે ખાસ મહત્વ
હોળીમાં પધરાવો આ ખાસ ચીજો
ખૂલશે ભાગ્યના દ્વાર અને ચમકશે નસીબ
હોળિકા દહનમાં ઘરના દરેક સભ્યએ હાજર રહેવું. હોળીમાં ઘઉં, ચણા, વટાણા અથવા અળસી ચઢાવીને 7 પરિક્રમા કરવાથી શુભ ફળ મળે છે. ઘરમાં પવિત્રતા આવે છે.
વડીલ હોળિકામાં ઘીમાં પલાળેલા લવિંગ, પતાસુ અને પાન ચઢાવે. 3 પરિક્રમા કરે અને સૂકું નારિયેળ હોમે તો પરિવારનું દુઃખ દૂર થાય છે.
હોળિકા દહન સમયે ચાંદીના સિક્કા પર હળદરથી તિલક કરીને તમારું ધન હોય તે જગ્યાએ મૂકો, તેમ કરવાથી તમારું ધન ક્યારેય નહીં ખૂટે.
હોળિકાનો પવિત્ર અગ્નિ નકારાત્મકતાનો નાશ કરે છે. સાથે જ નકારાત્મકતાથી ઉત્પન્ન થયેલી બદીઓનો નાશ થાય છે.
હોળીના દિવસે ગોમતી ચક્રને તમે જ્યાં ધન રાખો છો ત્યાં મૂકશો તો પણ અઢળક લાભ થશે.
હોળિકા દહનમાં જતી સમયે તમારી સાથે પીળા કપડાંમાં હળદર બાંધીને લઈ જાઓ. તેને અગ્નિમાં પધરાવવાથી દોષ દૂર થશે.
તમારી દુકાન, ઓફિસ કે જે જગ્યાએ તમારો વેપાર કે બિઝનેસ હોવ ત્યાં પ્રગતિ હંમેશા થાય તે માટે ગોમતી ચક્રને લાલ કપડાંમાં વીંટાળીને દુકાન કે ઓફિસના મંદિરમાં રાખો.
2 ગોમતી ચક્ર લઈને એક સાફ કપડાંમાં લપેટી લો. તેની પોટલી બાંધીને ધંધા કે વ્યવસાયના પ્રવેશદ્વાર પર લટકાવો. તેની હકારાત્મક અસર થશે અને ધંધા વ્યવસાયની પણ વૃદ્ધિ થશે.
હોળી સમયે એકધારી રીતે ભગવાન વિષ્ણુના ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો જરૂરી છે. તે તમને દરેક કામમાં સફળતા આપશે.