ભારતમાં મંકિપોક્સનો ફેલાવો વધતા હવે સરકારે લોકોને એક મોટી અપીલ કરી છે.
ભારતમાં મંકિપોક્સના 4કેસ
મંકિપોક્સનો ફેલાવો અટકાવવા લોકોને અપીલ
મંકિપોક્સના લક્ષણો હોય તો સામે ચાલીને તપાસ કરાવો
ડરવા અને છુપાવવા લાયક કંઈ નથી- નીતિ આયોગ
70થી વધુ દેશોમાં ફેલાયેલો મંકિપોક્સ હવે ભારતમાં પણ આવી ચૂક્યો છે અને હાલમાં દેશમાં મંકિપોક્સના 4 કેસ છે જેમાં 3 કેરળ એક દિલ્હી અને એક તમિલનાડુમાં છે. ત્યારે હવે મંકિપોક્સનો વધારે ફેલાવો અટકાવવા માટે સરકારે લોકોને એક મોટી અપીલ કરી છે.
If someone has symptoms of monkeypox, then he/she should come forward and get themselves treat. There is nothing to worry and hide: Dr VK Paul, Member (Health), Niti Aayog
કોઈનામાં મંકિપોક્સના લક્ષણો હોય તો તપાસ કરાવે
નીતિ આયોગના સભ્ય ડોક્ટર વીકે પૌલે લોકોને એવું જણાવ્યું કે જો કોઈનામાં મંકિપોક્સના લક્ષણો હોય તો તેવા લોકોએ સામે ચાલીને આગળ આવીને તપાસ કરાવવી જોઈએ. તેમણે કહ્યું કે ડરવા અને ચિંતા કરવા જેવું કશું નથી.
As of now, there are 4 monkeypox cases in India. Govt has taken proactive measures several weeks ago. Screening is being done at airports. 15 laboratories have been set up. The situation is under control and there is no need to panic: Dr VK Paul, Member (Health), Niti Aayog pic.twitter.com/Xyol4H1TOc
પરિસ્થિતિ કન્ટ્રોલમાં, ડરવાની કોઈ જરુર નથી
તેમણે કહ્યું કે હાલમાં ભારતમાં મંકિપોક્સના ચાર કેસ છે. તેમણે કહ્યું કે સરકારે ઘણા પગલાં લીધા છે. એરપોર્ટ પર તપાસ કરાઈ રહી છે. 15 લેબોરટરી સ્થાપિત કરવામાં આવી છે અને હાલમાં પરિસ્થિતિ કન્ટ્રોલમાં છે અને ડરવાની કોઈ જરુર નથી.
દેશમાં મંકીપોક્સના કુલ 4 કેસ
દિલ્હીમાં એક કેસ મળ્યા બાદ હવે દેશમાં કુલ મંકીપોક્સના કેસ ચાર થઈ ગયા છે. ત્રણ કેસ દક્ષિણ રાજ્ય કેરળમાં નોંધાયા છે. લોકનાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલના ચિકિત્સા ડિરેક્ટર ડો. સુરેશ કુમારે કહ્યું કે,શખ્સને તાવ અને ચામડીમાં ઘા સાથે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. જો કે, દર્દીની હાલત સ્થિર છે. સંયુક્ત અરબ અમીરાતના એક મુસાફરને કેરલ પાછ્યા આવ્યા બાદ 14 જુલાઈએ ભારતમાં મંકીપોક્સ વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. તેણે તિરુવનંતપુરમ મેડિકલ કોલેજમાં ભરતી કરવામાં આવ્યો છે.
મંકીપોક્સને લઈને હાઈ લેવલની મીટિંગ
મંકીપોક્સનો ખતરો જોતા કેન્દ્ર સરકારે 3 દિવસ પહેલા બિહાર સરકારને એલર્ટ જાહેર કર્યું હતું. બિહાર સરકાર પર તૈયારીમાં લાગી ગયુ છે. રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો પણ છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ કોરોનાથી સંક્રમિત થયા છે. મંગલ પાંડેએ કહ્યું કે, તમામ જિલ્લાના સિવિલ સર્જન અને મેડિકલ કોલેજના સુપરિટેંડેટની સાથે બેઠક કરીને ગાઈડલાઈનનું પાલન કરવાના નિર્દેશ આપ્યા છે.