ભગવાન વિષ્ણુના દસ મુખ્ય અવતારોમાંનો એક નરસિંહ અવતાર પણ છે. આ વખતે 14 મેના રોજ નરસિંહ જયંતી ઉજવાશે. આ દિવસે નરસિંહ ચાલીસાનો પાઠ કરવાથી તમામ કષ્ટો દૂર થાય છે.
હિન્દુ ધર્મમાં નરસિંહ જયંતીનું વિશેષ મહત્વ છે. આ દિવસે સાધના ઉપાસનાની સાથે ભગવાન નરસિંહની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા એવી છે કે વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશીના દિવસે ભગવાન નરસિંહનો અવતાર થયો હતો. ભગવાન વિષ્ણુએ પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા માટે ભગવાન નરસિંહનો અવતાર લીધો હતો. હિરણ્યકશ્યપનો વધ કરીને ભગવાન નરસિંહે ભક્ત પ્રહલાદને તમામ સંકટ અને ભયમાંથી દૂર કર્યા હતા.
જ્યોતિષ શાસ્ત્રો અનુસાર નરસિંહ જયંતીના અવસરે નરસિંહ ચાલીસાનો પાઠ કરવાથી સંકટો દૂર થઈ જાય છે. આ પાઠ કરવાથી ભગવાન નરસિંહ પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે. ભગવાન નરસિંહની પૂજામાં ચંદનનો ઉપયોગ ખાસ કરીને કરવામાં આવે છે. આ ભગવાન વિષ્ણુનું રૌદ્ર સ્વરૂપ છે. માટે જ, તેમના ગુસ્સાને ઓછો કરવા માટે ચંદનનો લેપ લગાવવામાં આવે છે. ચંદન ઠંડક પહોંચાડે છે. જેથી તેનો ઉપયોગ પૂજામાં ખાસ કરીને કરવામાં આવે છે. આ દિવસે જો તમે મંત્ર કે પૂજા વગેરેનો જાપ ન કરી શકો તો નરસિંહ ચાલીસાથી જ ભગવાનના આશીર્વાદ મળી શકે છે.
श्री नृसिंह चालीसा
मास वैशाख कृतिका युत, हरण मही को भार।
शुक्ल चतुर्दशी सोम दिन, लियो नरसिंह अवतार।।
धन्य तुम्हारो सिंह तनु, धन्य तुम्हारो नाम।
तुमरे सुमरन से प्रभु, पूरन हो सब काम।।
नरसिंह देव में सुमरों तोहि, धन बल विद्या दान दे मोहि।
जय-जय नरसिंह कृपाला, करो सदा भक्तन प्रतिपाला।।
विष्णु के अवतार दयाला,महाकाल कालन को काला।
नाम अनेक तुम्हारो बखानो, अल्प बुद्धि में ना कछु जानो।।
हिरणाकुश नृप अति अभिमानी, तेहि के भार मही अकुलानी।
हिरणाकुश कयाधू के जाये, नाम भक्त प्रहलाद कहाये।।
भक्त बना बिष्णु को दासा, पिता कियो मारन परसाया।
अस्त्र-शस्त्र मारे भुज दण्डा, अग्निदाह कियो प्रचंडा।।
भक्त हेतु तुम लियो अवतारा, दुष्ट-दलन हरण महिभारा।
तुम भक्तन के भक्त तुम्हारे, प्रह्लाद के प्राण पियारे।।