હિન્દુ ધર્મમાં પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ ઉપરાંત હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન ચંદનનું પણ ખૂબ જ મહત્વ હોય છે. ભગવાન ઉપરાંત ભક્તો પણ પોતાના કપાળ પર ચંદન લગાવવાનું શુભ માને છે.
વૈષ્ણવ હોય અથવા શિવ સંપ્રદાય બધા ચંદનનો ઉપયોગ કરી શકે છે. પૂજાની સાથે સૌંદર્ય પ્રસાધન તરીકે પણ બહુ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ શુ તમે જાણો છો શાસ્ત્રમાં ચંદનનાં કેટલાંક પ્રયોગો વિશે જણાવવામાં આવ્યું છે જે તમારા જીવનને ખુશીઓથી ભરી શકે છે.
આજે જાણીએ ચંદનના શાસ્ત્રીય પ્રયોગો વિશે જેને અજમાવીને તમે પણ તમારી કિસ્મતના દ્વાર ખોલી શકો છો. ચંદનમાં તમામ પ્રકારના વાસ્તુદોષને દૂર કરવાની અદ્ભુત ક્ષમતા હોય છે.
જો ઘરના આંગણે ચંદનનું વૃક્ષ લગાવવામાં આવે તો કોઈ પણ પ્રકારનો વાસ્તુદોષ નથી રહેતો. પરિવારમાં કોઈ પણ પ્રકારની બીમારી પણ નથી આવતી. જો ચંદનનું ઝાડ ન લગાવી શકો તો ચંદનનો પાવડર અશ્વગંધા અને ગોખરુ ચૂરણમાં કપૂર મિક્સ કરીને 40 દિવસ સુધી હવન કરવાથી વાસ્તુદોષ દૂર થઈ જાય છે.
ઘરની પશ્ચિમ અથવા દક્ષિણ દિશામાં ચંદનનું વૃક્ષ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે. વારંવાર ધનનું નુકસાન થતું હોય વેપારમાં સતત ખોટ થતી હોય આર્થિક સમસ્યા હોય તો ગુરુ પુષ્ય નક્ષત્રના એક દિવસ પહેલા ચંદનના ઝાડ પર ચોખા જળ અર્પિત કરવું અને ધૂપ-દીવો જોઈને આમંત્રણ આપવું.
બીજા દિવસે એટલે કે ગુરુ પુષ્પ નક્ષત્રના દિવસે તે ઝાડની એક નાની લાડકી લઈને એક લાલ કપડામાં બાંધીને ઘરના મુખ્ય દરવાજાની વચ્ચે લટકાવી. તેનાથી આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો થશે.