ઘણી મહિલાઓ એવી છે જે માતા બન્યાના સુખથી વંચિત છે જ્યારે પતિ-પત્ની બન્ને સ્વાસ્થ્યની દ્દષ્ટિએ ઉત્તમ છે તેમ છતાં તેઓ સંતાન સુખી વંચિત છે. એવામાં સંભવ છે કે જ્યોતિષ સંબંધી કોઈ અશુભ ફળ આપનાર ગ્રહ તેમણે આ સુખથી વંચિત રાખે છે.
પતિ-પત્ની બન્નેમાંથી કોઈની પણ કુંડળીમાં કોઈ એવો દોષ હોય તો તેમણે સંતાન સુખથી વંચિત રાખે છે. સામાન્ય રીતે ભગવાનની કૃપાથી સંતાન પ્રાપ્તિનું સુખ મળી જાય છે પરંતુ અમુક જ્યોતિષ ઉપાય પણ મદદરૂપ થાય છે જેણે અમલમાં લાવવાથી સંતાનહીનતાનું દુખ ખતમ થઈ જાય છે.
એક નિશ્ચિત ઉંમરમાં આવ્યા બાદ દરેક સ્ત્રી માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવાનું વિચારે છે.
સ્ત્રી માને છે કે કોઈ પોતાનું હોય જે મને મા કહીને બોલાવે. સૌથી વધુ ભાગ્યશાળી મહિલાઓને આ સુખ પ્રાપ્ત થાય છે પણ ખરું પરંતુ અમુક મહિલાઓ તેનાતી વંચિત રહે છે. દુનિયાભરના લોકો પણ નિ:સંતાન માતા વિશે જાત જાતની વાતો બનાવતા હોય છે.
આ ઉપાય કરો:
– 11 પ્રદોષનું વ્રત કરો પ્રત્યેક પ્રદોષને ભગવાન શંકરના રૂદ્રાભિષેક કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે.
– કેરી બીલ આંબલા નીમ પીપલના પાંચ છોડ લગાવવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે.
– ક્યારેક ક્યારેક પુરુષની રાશિમાં પિતૃદોષના કારણે પણ સંતાનહીનતાનું કારણ બની જાય છે. એટલા માટે પિતૃદોષને તાત્કાલિક નિવારણ કરાવો.
– સંતાનહીનતાના નિવારણ માટે હરિવંશ પુરાણના પાઠ કરો.
– ગાયના વાછરડાંને જન્મ આપ્યો હોય તેના દૂધમાં નાભ કેસને પીસને માસિક ધર્મના પાંચમા દિવસે ખાવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે.