આસો વદ તેરશ એટલે ધનતેરસ. આ દિવસે મા મહાલક્ષ્મીનું પૂજન-અર્ચન કરનાર ઉપર અનર્ગળ કૃપા વરસે છે. આજે રાતના ૯.૦૦ વાગ્યા પછી તેમનું પૂજન-અર્ચન વિશેષ ફળદાયી બને છે. કહેવાય છે કે ઉગ્ર તથા સૌમ્ય દેવી-દેવતા રાતના ૯.૦૦ પછી પૃથ્વીની સમીપ આવે છે ત્યારે તેમનું પૂજન વિશેષ ફળદાયી બને છે. દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી એક અકિક માળા લેવી અને એક સો આઠ વાર ૐ ૐ હ્રીં હ્રીં શ્રીં શ્રીં લક્ષ્મી વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો. ત્યાર પછી માળાને લક્ષ્મીજીના મંદિરમાં અર્પણ કરી દેવી.
ધનતેરસના દિવસે કરો આ મંત્રનો જાપ
કાળી હળદરનો પૂજામાં આ રીતે કરો ઉપયોગ
અપાર સુખ સમૃદ્ધિ માટે મહાલક્ષ્મીની પૂજામાં કરો આ વિશેષ કામ
આજે ધન તેરસના પવિત્ર તહેવારની ઉજવણી થઈ રહી છે ત્યારે ચોપડા પૂજન અને મહાલક્ષ્મી પૂજા કરવામાં આવે છે. આ પૂજા કરવાથી ધન સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન આવી શકે છે. અકિક પથ્થર લઇને કોઇ મંદિરમાં અર્પણ કરી દેવા. અર્પણ કરવાની સાથે જ એવું કહેવું કે, અમુક કાર્યોમાં વિજય થવા માંગુ છું તો તે કાર્યમાં વિજય પ્રાપ્ત થાય. જે વ્યક્તિ શ્રેષ્ઠ ધનની ઇચ્છા રાખે છે, તે રાત્રે ૨૭ અકિક પથ્થર લઇને તેના ઉપર માતા લક્ષ્મીનું ચિત્ર સ્થાપિત કરવું.
કાળી હળદરથી કરી લો આ કામ
ખાવાના ઉપયોગમાં આવતી હળદર તો બધાએ જોઈ હશે, પરંતુ તાંત્રિક ઉપાયોમાં ઉપયોગ કરવામાં આવતી કાળી હળદર વિશે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે. હળદર અનેક પ્રકારની હોય છે અને આપણે જે ખાવામાં ઉપયોગ કરીએ છીએ તે પીળી હળદર છે. કાળી હળદરનો ઉપયોગ ખાવામાં નથી થતો, પરંતુ તંત્રશાસ્ત્રમાં તેના ઉપયોગ વિશે ઘણું બધુ બતાવ્યું છે. કાળી હળદરના ઉપાયોથી રૂપિયાની તંગી ચમત્કારિક રીતે દૂર થાય છે. કાળી હળદરના સાત થી નવ ગાંઠિયા બનાવો. આ ગાંઠિયાને સાફ દોરામાં પરોવી લો. ત્યારબાદ આ માળાનું ધૂપ અને લોબાનના શોધન કર્યા પછી પહેરી લો. જે પણ વ્યક્તિ આ પ્રકારની માળા પહેરે છે, તે બધા પ્રકારના ગ્રહદોષોથી, ટોણાં ટોટકાથી અને ખરાબ નજરથી સુરક્ષિત રહે છે. જો તમે કોઈ ખાસ કામ માટે જઈ રહ્યા હોવ તો ઘરેથી નીકળતાં પહેલા કાળી હળદરનું તિલક કરીને પ્રસ્થાન કરો. આ તિલક તમારું આકર્ષણ વધારશે. કાળી હળદરને તંત્ર અનુસાર વશીકરણ માટે જબરદસ્ત માનવામાં આવે છે. જો તમે ઈચ્છતા હોવ કે સમાજમાં તમારું આકર્ણણ વધે તો કાળી હળદરનું તિલક એક સરળ ઉપાય છે.
મંત્ર- ઐં હ્રીં શ્રીં ક્લીં
જો તમે ઇચ્છો છો કે, તમારા ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી આવે નહીં અને અનાજનો ભંડાર ભરેલો રહે તો ૧૧ લઘુ નારિયેળ એક પીળા કપડામાં બાંધીને રસોઈ ઘરમાં પૂર્વ ખૂણામાં બાંધી દેવું. જેનાથી તમારી મનોકામના પૂર્ણ થઇ શકે છે. લાલ કપડાંની ઉપર દક્ષિણાવર્તી શંખ રાખીને તેમાં ગંગાજળ ભરો અને કુશના આસન ઉપર બેસી આ મંત્રનો જાપ કરો.
મંત્ર- ૐ લક્ષ્મી સહોદરાય નમઃ
આ મંત્રની ઓછામાં ઓછા પાંચ માળા જાપ કરો અને ત્યારબાદ શંખને પૂજા સ્થાન ઉપર સ્થાપિત કરી દો.