સૂર્યનમસ્કાર એ સૂર્યદેવની આરાધના છે. સવારમાં ખુલ્લી હવામાં અને રમણીય સ્થળે સૂર્યનમસ્કાર કરવાથી શરીરને અનેક ફાયદા મળે છે. સૂર્ય નમસ્કારમાં 12 આસનોનો સમાવેશ થતો હોવાના કારણે શરીરનો સર્વાંગી વિકાસ થાય છે. હાડકાં મજબૂત બને છે, લોહી સાફ રહે છે અને સાથે શ્વાસોશ્વાસના કારણે ફેફસાંની કાર્યક્ષમતા વધે છે. સાથે મન પણ પ્રસન્ન રહે છે. દરેક સ્ટેપ્સ સાથે કેટલાક ખાસ મંત્ર જોડાયેલા છે. તેનું ઉચ્ચારણ કરવાથી પણ લાભ મળે છે. તો જાણો સૂર્યનમસ્કારના કયા સ્ટેપ્સથી શું ફાયદા મળે છે.
જાણી લો સૂર્યનમસ્કારના સ્ટેપ્સ, તેની સાથે બોલાતા ખાસ મંત્ર અને દરેક સ્ટેપ્સથી થતા શરીરને ફાયદા વિશે.
1. ઓમ મિત્રાય નમઃ
રીત - દરી પર બંને પગ એકસાથે રાખીને સીધા ઊભા રહેવું. શ્વાસ ભરતા બંને હાથ છાતી પાસે નમસ્કાર મુદ્રામાં રાખો અને થોડીવાર આ સ્થિતિમાં રહો.
ફાયદા- શારીરિક અને માનસિક સંતુલન વધે છે. આંતરિક ચેતના જાગૃત થાય છે અને એકાગ્રતા વધે છે.
2. ઓમ રવયે નમઃ (અર્ધચંદ્રાસન)
રીત - બંને પગ વચ્ચે ખભા જેટલું અંતર રાખો. શ્વાસ ભરતાંની સાથે કોણીમાંથી હાથ વાળ્યા વિના સીધા ઊંચા કરીને કમરથી પાછળ ઝૂકો. આ સ્થિતિમાં થોડું રહો અને મૂળ સ્થિતિમાં પાછા આવો.
રીત - ધીરે ધીરે શરીરને કમરમાંથી આગળ વાળો. આ સમયે શ્વાસ બહાર કાઢવાનો છે. બંને હાથની હથેળીને જે - તે પગની બાજુમાં મૂકો અથવા બંને પગના અંગૂઠા પકડો. ઘૂંટણમાંથી પગ સીધા રાખો. માથું ઘૂંટણને અડે તેવા પ્રયાસ કરો.
રીત - ડાબા પગને પાછળ તરફ લંબાવો. તે પગના પંજાને અને ઘૂંટણને જમીન સાથે અડાવો. જમણા પગનો પંજો બંને હાથની હથેળી વચ્ચે જમીન પર રાખો. માથુ ઉપર તરફ થોડું પાછળ ઝૂકેલું રાખવું. આ સ્થિતિમાં શ્વાસ અંદર લેવાનું રાખો.
ફાયદા- કબજિયાત દૂર થાય અને સાથે ગળાના રોગમાં પણ ફાયદો આપે છે.
5. ઓમ અગ્રાય નમઃ (દંડાસન)
રીત - જમણા પગને પાછળ તરફ લાવો. બંને પગ વચ્ચે ખભા જેટલું અંતર રાખો. નિતંબ થોડા ઉપર તરફ તથા માથું બંને હાથની વચ્ચે રાખવું. આ સ્થિતિમાં શ્વાસ બહાર કાઢતા રહો.
ફાયદા- શરીરની પાછળના ભાગના સ્નાયુઓ મજબૂત બને, હાથ-પગ, ફેફસાં મજબૂત થાય. પેટની ચરબી પણ દૂર થશે.
6. ઓમ પૂષ્ણે નમઃ (અષ્ટાંગ નમસ્કાર કે પીપીલીકાસન)
રીત - ઘૂંટણ, છાતી અને દાઢી જમીન સાથે અડાડો. નિતંબ અને કમર જમીનથી ઉપર રહેશે. આ સ્થિતિમાં શ્વાસનો રોકી રાખો.
ફાયદા - હાથ, ખભાના સ્નાયુઓ મજબૂત થાય. કરોડ સમ્યક બને અને શરીર હલકું રહે છે.
7. ઓમ હિરણ્યગર્ભાય નમઃ (ભૂજંગાસન)
રીત - શ્વાસ ભરતાંની સાથે પગના પંજા અને હથેળી હલાવ્યા વિના છાતી અને માથાને ઉપરની તરફ ખેંચો. હાથને કોણીથી સીધા રાખો. કમરથી શક્ય તેટલું પાછળ તરફ ઝૂકો.
ફાયદા - કરોડ મજબૂત થાય છે, થાઇરોઇડ ગ્રંથિને લગતા રોગોમાં અસરકારક છે. રક્તસંચારણ સારું થાય છે, ચહેરો તેજોમય બને, પેટના રોગો દૂર થાય.
8. ઓમ મરીચયે નમઃ (પર્વતાસન)
રીત - શ્વાસ બહાર કાઢતાં તે જ સ્થિતિમાં નિતંબને ઉપર ઉઠાવો. બંને પગના એડી, હાથની હથેળી જમીનને અડેલી રહેશે. માથું નીચે તરફ ઝૂકાવો.